Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • જન્મે જ કાળા હોય એ ન્હાવાથી ધોળા ન થાય!

    કચ્છી ચોવક – કિશોર વ્યાસ ગુજરાતીમાં એક પ્રચલિત કહેવત છે: કાગડા કાળા જ રહે! એ ધોળા ન થાય! ધોળીયાઓના દેશમાં પણ કાગડા કાળા જ જોવા મળે! કારણ કે, એ તેનો જન્મજાત સંસ્કાર પણ (સારા કે ખરાબ) બદલાતા નથી! કચ્છીમાં તેના…

  • રાજ્યસભાના ૪૫ અને લોકસભાના ૩૩ સભ્ય સસ્પેન્ડ

    નવી દિલ્હી: સોમવારે સંસદના શિયાળુસત્રના ૧૧મા દિવસે લોકસભા અને રાજ્યસભાના કુલ ૭૮ સંસદસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ તમામ સભ્યો સંસદની સુરક્ષામાં ચૂકના મામલે ગૃહપ્રધાન અમિત શાહના નિવેદનની માંગ સાથે ગૃહમાં શોરબકોર કરી રહ્યા હતા. બપોરે લોકસભામાંના ૩૩ સભ્યને સસ્પેન્ડ…

  • કોરોનાનો પગપેસારો: ૨૪ કલાકમાં પાંચનાં મોત: ૩૩૫ નવા કેસ

    નવી દિલ્હી: ભારતથી લઇને સિંગાપુર સુધી આખી દુનિયામાં ફરી એકવાર કોરોનાનો પગપેસારો થયો છે. છેલ્લાં ૨૪ કલાકમાં કોવિડના ૩૦૦ નવા કેસ સામે આવ્યા છે. કોરોનાને કારણે પાંચના દર્દીનાં મૃત્યુ થયાં છે. મૃતકોમાં પાંચ દર્દીઓ માત્ર કેરળના જ છે. જ્યારે એક…

  • નેશનલ

    ભારે વરસાદને પગલે તમિળનાડુ જળબંબાકાર

    પૂર: ભારે વરસાદને પગલે સોમવારે તિરુનેલવેલીના અનેક વિસ્તારો પર પૂરનાં પાણી ફરી વળ્યાં હતાં. (એજન્સી) ચેન્નઈ: ભારે વરસાદને પગલે દક્ષિણ તમિળનાડુનાં અનેક ગામ, નગર, રસ્તા, હાઈવે પર પૂરનાં પાણી ફરી વળ્યાં હતાં તો થૂથૂકુડી વિસ્તાર નદીમાં ફેરવાઈ ગયો હતો.રહેવાસી વિસ્તારમાં…

  • પુણેમાં ટ્રક, ટેમ્પો અને રિક્ષા વચ્ચે અકસ્માત: આઠનાં મોત

    પુણે: કલ્યાણ નગર હાઇવે પર જુન્નર તાલુકાના ડિંગોરે ગામની હદમાં ભીષણ અકસ્માત થયો છે. રવિવારે રાત્રે થયેલા આ અકસ્માતમાં લગભગ આઠ લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું છે. ટ્રક, ટેમ્પો અને રિક્શા વચ્ચે આ વિચિત્ર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં…

  • લદાખમાં ભૂકંપના એક પછી એક ત્રણ આંચકા

    જમ્મુ: લદાખમાં સોમવારે ૫.૫ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો જેના પછી ૧૫ મિનિટમાં ઓછી તીવ્રતાના બે આંચકા આવ્યા હતા, તેવી માહિતી અધિકારીઓએ આપી હતી. જમ્મુ અને કાશ્મીરના કિશ્તવારમાં ઓછી તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જાનમાલની હાનિનો કોઈ અહેવાલ મળ્યો ન હતો. લદાખમાં…

  • પાકિસ્તાનમાં દાઉદ ઈબ્રાહિમના મોતની અફવાઓનું ખંડન કર્યું છોટા શકીલે

    ઈસ્લામાબાદ: ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ ઇબ્રાહિમને કરાચીમાં કથિત રીતે ઝેર આપવામાં આવ્યું છે, એવા સમાચાર ગઇ કાલ રાતથી ફરી રહ્યા છે. તાજેતરના મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ૧૯૯૩ના બોમ્બેના શ્રેણીબદ્ધ વિસ્ફોટોના માસ્ટરમાઇન્ડને ઝેર આપ્યા બાદ તેની હાલત ગંભીર…

  • પાકિસ્તાનમાં માર્યો ગયો લશ્કરનો આતંકવાદી ખાન બાબા

    ઇસ્લામાબાદ: લશ્કર માટે આતંકવાદીઓની ભરતી કરનાર હબીબુલ્લા ઉર્ફે ભોલા ખાન ઉર્ફે ખાન બાબાને એક અજાણ્યા બંદૂકધારીએ ઠાર માર્યો છે. અહેવાલો અનુસાર, ખૈબર પખ્તુનખ્વાના ટેંક જિલ્લામાં તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.હબીબુલ્લાહ, જેને માલા ખાન અથવા ખાન બાબા તરીકે પણ…

  • મહારાષ્ટ્રમાં બનશે ત્રીજું મુંબઈ!

    નવું શહેર બનાવવા માટે ઓથોરિટીની સ્થાપના: નવી મુંબઈ એરપોર્ટની આસપાસના 323 ચો. કિ.મી. ક્ષેત્રફળમાં બનશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)ની વધતી જતી વસ્તીને વધુ સારી આવાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મજબૂત પરિવહન સુવિધાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે, રાજ્ય સરકારે `ત્રીજું…

  • કબૂતરોને ચણ નાખશો તો થશે 500નો દંડ

    મુંબઇ: કબૂતરોની વિષ્ટા અને પીંછામાંથી નીકળનારા ઘટકો આરોગ્ય માટે હાનિકારક હોવાના સંકેત હેલ્થ એક્સપર્ટે આપ્યા છે. આ વાતને ધ્યાનમાં લઇ મુંબઇગરાના સારા આરોગ્ય માટે હવે કૂબતરોને ચણ નાંખનારાઓ પર ક્લિનઅપ માર્શલની ચાંપતી નજર હશે. જો ચણ નાંખતા ઝડપાયા તો 500…

Back to top button