ધર્મતેજરાશિફળસ્પેશિયલ ફિચર્સ

31મી મેના સર્જાશે Chaturgrahi Yog, આ ત્રણ રાશિના જાતકોનો શરૂ થશે Golden Period

જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર રાશિ પરિવર્તન કરે છે અને આ રાશિ પરિવર્તનને કારણે તેઓ રાશિઓમાં હાજર ગ્રહોની સાથે મળીને અનેક યોગનું નિર્માણ કરે છે. આ યોગની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળે છે. અમુક રાશિના જાતકો માટે શુભ સાબિત થાય છે તો અમુક રાશિ માટે મુશ્કેલીનું કારણ બને છે.

જ્યોતિષ ગણતરી અનુસાર પહેલી મેના દિવસે ગુરુએ વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો હતો અને 14મી મે, 2025 સુધી આ જ રાશિમાં બિરાજમાન રહેશે. દરમિયાન ગ્રહોના રાજા સૂર્યએ 14મી મેના વૃષભ રાશિમા પ્રવેશ કર્યો હતો અને તે 14મી જૂન સુધી આ જ રાશિમાં બિરાજમાન રહેશે. આ સિવાય 19મી મેના દિવસે શુક્રએ વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો હતો અને હવે 31મી મેના ગ્રહોના રાજકુમાર બુધ વૃષભ રાશિમાં પ્રવેશવાના છે. એક જ સમયે એક જ રાશિમાં ચાર ગ્રહોનું મિલન થતાં ચર્તુગ્રહી યોગ (Chaturgrahi Yog)નું નિર્માણ થાય છે. આ ચર્તુગ્રહી યોગ ત્રણ રાશિના જાતકો માટે સફળતા અને પ્રગતિના દ્વાર ખોલી રહ્યો છે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ…


મેષઃ

મેષ રાશિના જાતકો માટે વૃષભ રાશિમાં ગુરુ, સૂર્ય, શુક્ર અને બુધના મિલનથી સર્જાઈ રહેલો ચર્તુગ્રહી યોગ ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહ્યો છે. વેપાર કરી રહેલાં લોકોને નવી ડીલ મળી શકે છે, જેને કારણે સારી એવી આવક થશે. રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો સમય અનુકૂળ છે. આવકના નવા નવા સ્રોત બની રહ્યું છે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે.

વૃષભઃ

Horoscope

સૂર્ય, ગુરુ, બુધ અને શુક્રની યુતિ વૃષભ રાશિમાં બની રહી છે એટલે આ રાશિના જાતકોને શુભ પરિણામ મળી રહ્યા છે. દાંપત્ય જીવનમાં જો કોઈ સમસ્યા આવી રહી હતી તો તે દૂર થઈ રહી છે. વેપારીઓને રોકાણ કરવા પર સારું એવું વળતર મળશે. કામના સ્થળે સફળતા મળી રહી છે. નોકરી કરી રહેલાં લોકોની પ્રગતિ થશે. આવકના નવા નવા સ્રોત બની રપહ્યા છે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે મજબૂત બની રહી છે.

આ પણ વાંચો : નોંધી લેજો 31 મે! બુધનું નક્ષત્ર પરિવર્તન કરી દેશે આ રાશિઓને માલામાલ

કર્કઃ

કર્ક રાશિના જાતકો માટે પણ બની રહેલો આ ચર્તુગ્રહી યોગ કોઈ સારા સમાચાર લાવી શકે છે. નોકરી શોધી રહેલાં લોકોને મનગમતી નોકરી મળશે. લાંબા સમયથી જો કોઈ વસ્તુ કે વાતની ઈચ્છા સેવી રહ્યા છો તો તે પૂરી થઈ રહી છે. પારિવારિક સંબંધો મજબૂત બની રહ્યા છે. પરિવાર સાથે ફરવા જવાનું પ્લાનિંગ કરશો. નોકરી કરી રહેલાં લોકોનું પ્રમોશન થઈ શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress