આમચી મુંબઈમહારાષ્ટ્રલોકસભા સંગ્રામ ૨૦૨૪

‘રાજ્યમાં પાંચ તબક્કામાં ચૂંટણી કરાવવાની શું જરૂર છે?’ શરદ પવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું

કોલ્હાપુરઃ મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ભારે ઉથલપાથલ ચાલી રહી છે. લોકસભાની ચૂંટણીને કારણે રાજ્યનું રાજકારણ ગરમાયેલું છે. આજે કોલ્હાપુરમાં શરદ પવારે નિવેદન કર્યું હતું કે મહારાષ્ટ્રમાં પાંચ તબક્કામાં ચૂંટણી કરાવવાની જરૂર છે, એ સ્પષ્ટપણે દર્શાવે છે કે સત્તામાં રહેલા લોકોની ચિંતા વધી ગઇ છે અને બીજુ કારણ એ પણ છે કે વડાપ્રધાનને પણ પ્રચાર કરવાની તક મળવી જોઇએ. તેમને પણ મહારાષ્ટ્રમાં આવવાનો મોકો મળશે, તેથી જ મહારાષ્ટ્રમાં કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી પાંચ તબક્કામાં મતદાન યોજવામાં આવ્યું છે.

શરદ પવારે વધુમાં કહ્યું કે નરેન્દ્ર મોદી એક જ કામ કરી રહ્યા છે કે મૂળભૂત મુદ્દાઓને નજરઅંદાજ કરીને બિનજરૂરી મુદ્દાઓ પર ધ્યાન આપી રહ્યા છે. તેમણે મોદીના ભાષણોની નકલ કરતા કહ્યું હતું કે તેમને દરેક ભાષણમાં શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વિના સંતોષ થતો નથી. તેમના ભાષણની એક ખાસ શૈલી છે. તેઓ કોલ્હાપુર આવશે તો હાથ જોડીને નમસ્કાર કોલ્હાપુરકર કહેશે અને તેઓ ભાષણની શરૂઆત કરશે અને પછી ફૂલે સાહુ આંબેડકરનું નામ લેશે. . તેઓ જ્યાં પણ જાય છે ત્યાં તેમના સ્થાનિક નેતાઓએ લખેલા પહેલા બે-ચાર વાક્યો બોલે છે અને ત્યાર બાદ ભાષણ ચાલુ રાખે છે.

જાતિ આધારિત વસતી ગણતરીને યોગ્ય ઠેરવતા સિનિયર પવારે જણાવ્યું હતું કે જો ધર્મ આધારિત અનામત આપવામાં આવશે તો સમાજમાં તણાવ અને કડવાશ ફેલાશે, તેથી અમે જાતિ આધારિત વસ્તી ગણતરીની વાત કરી રહ્યા છીએ જેથી કરીને સમાજના વંચિત વર્ગોની સંખ્યા જાણી શકીએ જેઓ મુખ્ય પ્રવાહની બહાર છે. અમે જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરી રહ્યા છીએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…