ટોપ ન્યૂઝનેશનલ

Misleading Ads Case: ‘અમારી ભૂલ થઇ ગઈ’ પતંજલિએ અખબારોમાં મોટી સાઈઝનું માફીનામું છપાવ્યું

નવી દિલ્હી: પતંજલિ આર્યુવેદ(Patanjali Ayurved)ની ભ્રામક જાહેરાતો અંગેના કેસની સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ(supreme Court)એ ગઈ કાલે પતંજલિ આયુર્વેદ લિમિટેડના કો-ફાઉન્ડર યોગ ગુરુ રામદેવ(Ramdev) અને આચાર્ય બાલકૃષ્ણ(Balkrishna)ને ફટકાર લગાવી હતી. કોર્ટે તેમને અખબારોમાં મોટી સાઈઝમાં માફીનામું છપાવવા આદેશ આપ્યો હતો. પતંજલિ આયુર્વેદે આજે બુધવારે 24 એપ્રિલના અખબારોમાં બિન શરતી માફીનામું જેહેર કર્યું છે. સુપ્રિમ કોર્ટના અગાઉના નિર્દેશોનું પાલન ન કરવા માટે આજે અખબારોમાં પતંજલિ આયુર્વેદે માફી માંગી છે.

આજે બુધવારના અખબારોમાં એક પાનાંના ચોથા ભાગમાં માફીનામું છાપવામાં આવ્યું છે, જેનું શીર્ષક છે “બિનશરતી જાહેર માફી”. તેમાં લખવામાં આવ્યું છે કે “ભારતની માનનીય સર્વોચ્ચ અદાલત સમક્ષ ચાલી રહેલા કેસ (રિટ પિટિશન સી. નં. 645/2022)ને ધ્યાનમાં રાખીને, અમે, અમારી વ્યક્તિગત ક્ષમતા તેમજ કંપની વતી, બિન-અનુપાલન અથવા આજ્ઞાભંગ બદલ બિન શરતી માફી માગીએ છીએ.”

માફીનામામાં વધુમાં લખવામાં આવ્યું છે કે, “અમે 22.11.2023 ના રોજ મીટિંગ/પ્રેસ કોન્ફરન્સ યોજવા બદલ દિલગીર છીએ અને અમારી જાહેરાતો પ્રકાશિત કરવામાં ભૂલ માટે અમે દિલથી માફી માંગીએ છીએ અને અમે ખાતરી આપીએ છીએ કે આવી ભૂલ બીજી વાર નહી થાય. અમે નિર્દેશોનું પાલન કરવાનું વચન આપીએ છીએ અને માનનીય અદાલતની સૂચનાઓની યોગ્ય કાળજી રાખીશું તથા અમે અત્યંત પ્રામાણિકતા સાથે અને માનનીય અદાલત/સંબંધિત અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવાનું વચન આપીએ છીએ. – પતંજલિ આયુર્વેદ લીમીટેડ, આચાર્ય બાલકૃષ્ણ, સ્વામી રામદેવ, હરિદ્વાર, ઉત્તરાખંડ.”

અગાઉ પણ પતંજલિ એ અખબારોમાં માફીનામું છપાવ્યું હતું, સોમવારે પ્રસિદ્ધ થયેલી જાહેરાત ઘણી નાની હતી અને તેમાં રામદેવ અને બાલકૃષ્ણનું નામ પણ નહોતું.

ગઈ કાલે આ કેસની સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ એ અમાનુલ્લાહની બેન્ચે પૂછ્યું હતું કે શું માફીનામું મોટી સીઝમાં પ્રકાશિત કરવામાં આવી છે? શું તેના ફોન્ટ અને કદ તમારી પ્રોડક્ટ્સની જાહેરાતો જેવા જ છે?”

રામદેવ અને બાલકૃષ્ણ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કોર્ટને જણાવ્યું કે 67 અખબારોમાં રૂ. 10 લાખના ખર્ચે માફી છપાવવામાં આવી હતી પરંતુ કોર્ટે કહ્યું કે તમારી પ્રોડક્ટ્સની અગાઉ છપાવવામાં આવેલી જાહેરાતોના કદની જ જાહેરાત છપાવો.

કેસમાં આગામી સુનાવણી 30 એપ્રિલે થશે અને તે દરમિયાન કોર્ટે રામદેવ અને બાલકૃષ્ણને પણ હાજર રહેવા જણાવ્યું છે.

આ મામલો કોવિડના સમયનો છે જ્યારે પતંજલિએ 2021માં કોરોનિલ નામની દવા લોન્ચ કરી હતી. સ્વામી રામદેવે આ દવા વિશે “કોવિડ-19 માટેની સારવાર માટેની પ્રથમ પુરાવા આધારિત દવા” હોવાનો દાવો કર્યો હતો. પતંજલિએ એવો પણ દાવો કર્યો હતો કે કોરોનિલ પાસે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું પ્રમાણપત્ર છે, પરંતુ ઈન્ડિયન મેડિકલ એસોસિએશ(IMA)ને આને જુઠ્ઠાણું ગણાવ્યું હતું.

ત્યાર બાદ આ સ્વામી રામદેવે જાહેરમાં એલોપેથી અંગે કહ્યું કે એલોપથી મૂર્ખતાપૂર્ણ અને નાદાર વિજ્ઞાન છે. રામદેવનો આ વીડિયો વાયરલ થયા બાદ IMA અને પતંજલિ વચ્ચેનો સંઘર્ષ વધી ગયો હતો. IMAએ રામદેવને નોટિસ મોકલીને માફી માંગવા કહ્યું હતું.

ત્યાર બાદ પતંજલિએ અખબારોમાં એવી જાહેરાત છપાવી કે ‘એલોપેથી દ્વારા ફેલાયેલી ગેરસમજો: ફાર્મા અને મેડિકલ ઇન્ડસ્ટ્રી દ્વારા ફેલાતી ગેરસમજોથી પોતાને અને દેશને બચાવો’ , ત્યાર બાદ IMAએ પતંજલિ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. જાહેરાતમાં દાવો કરવામાં આવ્યો હતો કે પતંજલિની દવાઓએ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, થાઈરોઈડ, લિવર સિરોસિસ, આર્થરાઈટિસ અને અસ્થમાના લોકોને ઠીક કર્યા છે.

ગયા વર્ષે 21 નવેમ્બરના રોજ, સુપ્રીમ કોર્ટે પતંજલિને આવા દાવાઓ સામે ચેતવણી આપી હતી અને દંડ ફટકારવાની ચેતવણી પણ આપી હતી. પતંજલિના વકીલે તે સમયે ખાતરી આપી હતી કે “હવેથી, કોઈપણ કાયદાનું ઉલ્લંઘન થશે નહીં, ખાસ કરીને ઉત્પાદનોની જાહેરાત અને બ્રાન્ડિંગ સંબંધિત.” છતાં પણ પતંજલિ ભ્રામક જાહેરાતો છપાતી રહી અને રામદેવ અને બાલકૃષ્ણએ એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી.

આ પછી, કોર્ટે પતંજલિ સામે કન્ટેમ્પ્ટની કાર્યવાહી શરૂ કરવા ચેતવણી આપી. પતંજલિએ કન્ટેમ્પ્ટની નોટિસનો જવાબ દાખલ ન કર્યો. આ પછી કોર્ટે રામદેવ અને બાલકૃષ્ણને રૂબરૂ હાજર થવા કહ્યું. કોર્ટે 2 એપ્રિલની સુનાવણીમાં કોર્ટે રામદેવ અને બાલકૃષ્ણ પર સામે કડક વલણ દાખવ્યું હતું.

ત્યાર બાદ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણએ માફીનામું આપ્યું, 10 એપ્રિલે, સુપ્રીમ કોર્ટે માફી નામંજૂર કરી દીધી કારણ કે તે પહેલા મીડિયાને મોકલવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે તેમની માફી “પ્રમાણિક નથી” અને “માત્ર શબ્દોનો દેખાવ” હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…