આમચી મુંબઈમહારાષ્ટ્રલોકસભા સંગ્રામ ૨૦૨૪

આ મહેનતુ, મરાઠા અને પછાત સમુદાયોનું અપમાન છે: આદિત્ય ઠાકરે દ્વારા કરાયેલી અપમાનાસ્પદ ભાષા પર શિંદેનો જવાબ

પરભણી: એક સામાન્ય શિવસૈનિક, ખેડૂત પરિવારનો વ્યક્તિ મુખ્યમંત્રી બન્યો અને તેને કારણે કેટલાક લોકોના પેટમાં ખૂબ દુખાવો થયો. એટલા માટે તેઓ નિમ્ન કક્ષાએ જઈને મારી ટીકા કરી રહ્યા છે. મને ગાળો દઈ રહ્યા છે, પરંતુ આ દુર્વ્યવહાર ફક્ત માત્ર મારા માટે જ નથી પરંતુ રાજ્યના તમામ ખેડૂતો, મજૂરો, મરાઠાઓ અને બહુજન માટે પણ છે. મોઢામાં સોનાની ચમચી લઈને જન્મ્યો છે, પરંતુ તેમને યોગ્ય સંસ્કાર આપવામાં આવ્યા નથી. તેમના હાથમાંથી સત્તા ગઈ ત્યારથી ગાંડા થઈ ગયા છે. મણિશંકર ઐયર અને કોંગ્રેસની ભાષામાં વાત શરૂ કરી દીધી છે. હું તેમને મારા કામ પરથી જવાબ આપીશ, એમ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પાથરી ખાતેની બેઠકમાં કહ્યું હતું.

આ પણ વાંચો:
થાણેમાં એકનાથ શિંદેનું જોરદાર શક્તિપ્રદર્શન

પરભણીમાં મહાયુતિના ઉમેદવાર મહાદેવ જાનકરના પ્રચાર માટે આયોજિત જાહેરસભામાં તેમણે કહ્યું હતું કે સરકારે મૌલાના આઝાદ કોર્પોરેશનનું ફંડ 30 કરોડથી વધારીને 500 કરોડ કર્યું છે. સરકારે તમામ સમુદાયોને સમાન ધોરણે ન્યાય આપવાનું કામ કર્યું છે. હિંદુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી બધાને ન્યાય મળવો જોઈએ, તેમણે મુખ્ય પ્રવાહમાં આવવું જોઈએ. સરકારનો ઉદ્દેશ્ય એ છે કે તેઓ પણ વિકાસ કરે. કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુસ્લિમ સમુદાય માટે ઘણી યોજનાઓ લાગુ કરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસે મુસ્લિમ સમુદાયનો ફક્ત વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો અને કાયમ તેમને ગરીબીમાં રાખ્યા હતા.

સાબીર શેખ બાળાસાહેબના સમયમાં મિનિસ્ટર હતા. અબ્દુલ સત્તાર વર્તમાન સરકારમાં મિનિસ્ટર છે. સૌ સાથે મળીને રાજ્યનો વિકાસ કરી રહ્યા છે. તેથી બંધારણ બદલવાના વિપક્ષના આક્ષેપો ખોટા છે.


આ પણ વાંચો:
કોંગ્રેસે દલિતો અને મુસ્લિમોનો વોટબેંક તરીકે ઉપયોગ કર્યો: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે

કેન્દ્ર સરકારે 10 વર્ષમાં એટલું કામ કર્યું છે જેટલું કોંગ્રેસે છેલ્લા 50 વર્ષમાં કર્યું નથી. તેઓ આગામી 100 વર્ષ સુધી આટલું કામ કરી શકશે નહીં. બારામતીમાં 3.5 લાખની લીડને 34 હજાર પર લઈ આવનારા મહાયુતિના ઉમેદવાર મહાદેવ જાનકર છે. ત્યારે ઇતિહાસ રચાયો હોત. પરંતુ હવે તેઓ પરભણીમાં ઈતિહાસ રચવા જઈ રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.

એકનાથ શિંદેએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે પરભણીમાં ચમત્કાર થશે અને મહાદેવ જાનકર દિલ્હી જશે. મહાદેવ જાનકરે પરિણીત નથી અને પોતાનું જીવન સમાજને સમર્પિત કર્યું છે. જાનકરે શૂન્યમાંથી સર્જન કર્યું છે. તેમની યાત્રા અદ્ભૂત છે એમ જણાવતાં એકનાથ શિંદેએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેઓ પરભણીના વિકાસ માટે આકાશ પાતાળ એક કરશે. મહાદેવ જાનકર 17 ભાષાઓ જાણે છે એમ જણાવતાં શિંદેએ કહ્યું હતું કે જ્યારે તેઓ સાંસદ તરીકે દિલ્હી જશે ત્યારે તેમને વિકાસની ભાષા જાણવા મળશે અને વધુ પ્રગતિ થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો…