આમચી મુંબઈમહારાષ્ટ્ર

બોરીવલીમાં સૌથી વધુ મહિલા મતદારો: નારી શક્તિ નક્કી કરી શકે મુંબઈનો વિકાસ

મુંબઈ: પુરુષ પ્રધાન કહેવાતા દેશમાં લોકશાહીનો પર્વ એવો ચૂંટણીનો સમયગાળો શરૂ થયો છે ત્યારે ભારતમાં શક્તિ તરીકે પૂજાતી નારીઓનો સહભાગ અત્યંત મહત્ત્વનો અને સંવેદનશીલ માનવામાં આવે છે. હાલમાં જ ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓમાં દેશમાં મહિલા મતદારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હોવાનું જણાયું છે અને જ્યારે મુંબઈ ઉપનગરની વાત કરીએ ત્યારે આ વિભાગમાં પણ મહિલાઓ હોંશે હોંશે મતદાન માટે પોતાની નોંધણી કરાવી રહી હોવાનું ચિત્ર સામે આવ્યું છે. પુરુષોની સંખ્યામાં અનેક મતવિસ્તારોમાં મહિલા મતદારોની સંખ્યા ભલે ઓછી હોય, પરંતુ શિક્ષિત અને અર્વાચીન યુગની નારી પોતાનો મતદાનનો હક્ક બજાવવા માટે આગળ વધી રહી હોવાનું આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે.

તેમાં પણ મુંબઈ ઉપનગર વિસ્તારમાં બોરીવલી મતવિસ્તારમાં સૌથી વધુ મહિલા મતદારો હોવાનું આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે. બોરીવલીમાં 1,60,979 પુરુષ મતદારોની સામે 1,55,140 મહિલા મતદારો છે જે ઉપનગર વિસ્તારમાં સૌથી વધુ છે. આ ઉપરાંત બોરીવલી મતવિસ્તારમાં બે તૃતીયપંથીય મતદારો પણ છે.

જ્યારે સૌથી ઓછી મહિલા મતદારો વિક્રોલીમાં હોવાનું જાણવા મળ્યું છે. વિક્રોલીમાં 1,24,502 પુરુષ મતદારોની સામે 1,12,446 મહિલા મતદારો છે.

જોકે, સરવાળે જોઇએ તો ગઇ ચૂંટણીની સરખામણીએ મહિલા જાગરૂકતા, શિક્ષણ, સામાજિક પ્રયત્નો વગેરે કારણોસર વધુને વધુ મહિલાઓ દેશના ભવિષ્યના ઘડતર માટે સહભાગી થઇ પોતાનો નાગરિક હક્ક બજાવવા આગળ આવી રહી છે.

આપણ વાંચો: રાજ્ય સરકારના એ નિર્ણયના વિરોધમાં School Bus Driverની આંદોલનની ચિમકી…

તૃતીયપંથીયો પણ મતદાન કરવા સજ્જ

2009ની ચૂંટણી સુધી દેશમાં તૃતીયપંથીયોને મતદાનનો હક્ક બજાવવા માટે કોઇ ખાસ જોગવાઇ કરવામાં આવી નહોતી. જોકે, 2014માં તૃતીયપંથીઓ માટે અલાયદી શ્રેણી ઊભી કરવામાં આવી અને તેમની તૃતીયપંથીય મતદારો તરીકે નોંધણી પણ શરૂ કરવામાં આવી. જેના કારણે સમાજના છેડે રહેલો આ વર્ગ પણ મતદાન માટે આગળ આવી રહ્યો છે.

મુંબઈ ઉપનગરમાં સૌથી વધુ તૃતીયપંથીય મતદારો મલાડ વેસ્ટ મતવિસ્તારના છે. મલાડ વેસ્ટમાં 339 તૃતીયપંથીઓએ મતદાન માટે પોતાની નોંધણી કરાવી છે. લોકશાહી વધુ મજબૂત બને તે માટે સમાજના દરેક સમુદાય તેમાં ભાગ લે તે જરૂરી છે અને તે આ ચૂંટણીમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે, જેમાં ચૂંટણી પંચના જાગરૂકતા અભિયાનોનો પણ વિશેષ ફાળો છે. વિલે પાર્લે ફક્ત એક જ એવો મતવિસ્તાર છે જેમાં એકપણ તૃતીયપંથીય મતદારે નોંધણી નથી કરાવી. આ ઉપરાંત અંધેરી ઇસ્ટ અને વિક્રોલીમાં પણ ફક્ત 1-1 તૃતીયપંથીય મતદારે નોંધણી કરાવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…