આપણું ગુજરાતલોકસભા સંગ્રામ ૨૦૨૪

ભરૂચમાં AAPના ઉમેદવાર ચૈતર વસાવાનો ભવ્ય રોડ શો, પંજાબના CMએ ભાજપ પર કર્યા પ્રહાર

લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાતમાં તમામ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો છે. આ દરમિયાન પંજાબના CM ભગવંત માન ભરૂચમાં AAPના ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં યોજાયેલા રોડ શોમાં જોડાયા હતા. આ રોડ શોમાં આપના અગ્રણી નેતા ઉપરાંત મોટી સંખ્યામાં વસાવાના સમર્થકો પણ જોડાયા હતા.

રેલીમાં ભગવંત માને તેમના ચિરપરિચિત અંદાઝમાં ભાજપના ‘अबकी बार 400 पार’ ના નારાને એક જુમલો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે ‘આ તો ભારતની 140 કરોડની જનતા જ નક્કી કરશે કે કોને કેટલી સીટો મળશે, વળી આ દેશ કોઈની જાગીર નથી.’

ભગવંત માને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે લોકસભા ચૂંટણી પહેલા દિલ્હના સીએમ અરવિંદ કેજરીવાલને જેલમાં મોકલ્યા તે તાનાશાહીની સાથે-સાથે ષડયંત્ર પણ છે.

આ પણ વાંચો: ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી મામલે ગુજરાત હાઇકોર્ટે આપી મોટી રાહત

પંજાબના સીએમએ ભાજપને ઘેરતા વધુમાં કહ્યું કે તેઓ માત્ર સમાજમાં નફરત ફેલાવે છે અને એક ધર્મનિરપેક્ષ પાર્ટી છિએ, જ્યારે તે જાતિ આધારીત રાજકારણના કિચડમાં ફસાયેલા છે.

AAPના ઉમેદવાર ચૈતર વસાવાએ ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ મનસુખ વસાવા પર આરોપ લગાવતા કહ્યું કે ‘તેઓ સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવેલી જમીન માટે સ્થાનિક લોકોને યોગ્ય વળતર આપવામાં નિષ્ફળ રહ્યા છે.

ભરૂચના ભાજપના લોકસભા સાંસદને વધુ પાંચ વર્ષ આપવાનો કોઈ અર્થ નથી. મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે લોકો મને મત આપશે. ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ભરૂચને નગરપાલિકાનો ટેગ મળે અને સૌનો વિકાસ સુનિશ્ચિત થાય તેવું અમે ઇચ્છીએ છીએ.’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ