મરણ નોંધ

હિન્દુ મરણ

વિસા સોરઠિયા વણિક
ગામ સીલ, હાલ વાશી, સ્વ. ધીરેન્દ્ર વ્રજલાલ શાહના ધર્મપત્ની ગં.સ્વ. પ્રજ્ઞા ધી. શાહ (ઉં. વ. ૭૨) ૧૬/૪/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે અંકુર શાહના મમ્મી. સીમાના સાસુ. ઝીલના દાદી. રામ પ્રતાપ સોમૈયાના પુત્રી. તેમની પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. શીવજી રામજી ચોથાણી ગં.સ્વ. વીમળાબેન શીવજી ચૌથાણી ગામ પત્રી હાલ મુલુન્ડ ચેકનાકાના મોટા પુત્ર મહેશ (મણીલાલ) (ઉં. વ. ૬૫) અનિતાબેનના પતિ. ડોલી તથા રાજના પિતાશ્રી. જીગર રમેશ આઈયાના સસરા. સ્વ. કમલેશ, કિરીટ, દક્ષા દેવેન્દ્ર વોરાણી, નીતા ગીરીશ સેજપાલ તથા નયના ઉમેશ પવાણીના ભાઈ. સ્વ. મોહનલાલ ભવાનજી તન્ના મુરૂવાળાના મોટા જમાઈ ૧૮-૪-૨૪, ગુરુવારના રામશરણ મુલુન્ડ મધ્યે પામેલ છે. પ્રાર્થનાસભા ૨૦-૪-૨૪ કચ્છી લોહાણા મહાજન વાડી, આર.આર.ટી. રોડ, ગ્રાઉન્ડ ફ્લોર મધ્યે રાખેલ છે. ટાઈમ ૫.૩૦થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે. બૈરાઓએ તેજ દિવસે આવી જવું.
વિશા નાગર વણિક
સુરેન્દ્ર બાબુભાઈ શેઠ (ઉં. વ. ૯૪) તા. ૧૯.૦૪.૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. બાબુભાઈ છગનલાલ શેઠના સુપુત્ર. મધુરીબેનના પતિ. પિયુષ- રૂપલ તથા નિરીક્ષા, ઈરફાનભાઈના પિતા. અરવિંદભાઈના મોટાભાઈ. પ્રિયા – નિહારભાઈ, ઉમંગ, અમાન અને અસદના દાદા.
પંચાલ લુહાર
સુરતના હાલ કાંદિવલી સ્વ.કેશવલાલ અંબારામ કોન્ટ્રાક્ટર (ઉં. વ. ૯૩) તે જયશ્રીબેનના પતિ. ધીરેનભાઈ તથા પરેશભાઈના પિતા. અ.સૌ.મીનાબેન તથા અ.સૌ જ્યોતિબેનના સસરા. સ્વ. ભગવાનદાસ, સ્વ. હીરાબેન ઈશ્ર્વરલાલ એન્જીનીયર, સ્વ.નિર્મળાબેન પંચાલ, સ્વ. સરસ્વતીબેન શાંતિલાલ પંચાલ, સ્વ. કંચનબેન ત્રિભોવનભાઈ પંચાલના ભાઈ. સ્વ.ભગવાનદાસ વિઠ્ઠલદાસ પંચાલના જમાઈ બુધવાર ૧૭/૪/૨૪ના શ્રીરામશરણ પામેલ છે. તેમનું બેસણું તા. ૨૧/૪/૨૪ના ૫ થી ૭. નિવાસસ્થાને બી /૫૧૨, વાઈટ સીટી, આકુર્લી રોડ, એપેક્સ હોસ્પિટલ પછી, કાંદિવલી ઈસ્ટ.
દશા સોરઠિયા વણિક
અ.સૌ.અનિલાબેન વખારીયા (ઉં. વ. ૭૦) હાલ મુંબઈ તે કમલેશ વખારીયાના ધર્મપત્ની. સ્વ.નાનાલાલ ધારશીભાઈ વખારીયાની પુત્રવધૂ. સ્વ.ચંદુલાલ ભાયચંદ શાહની પુત્રી. પુનીત, સુનીત, જીનીતના માતુશ્રી. મારીશા, તન્વી, જુહીના સાસુ. અનાયાના દાદી. તા. ૧૬-૪-૨૪ના મંગળવારે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી, એડ્રેસ- ૩૦૨, ઠક્કર ટાવર, તુલસી વાડી, આર.ટી.ઓ.ની સામે, તાડદેવ, મુંબઈ-૩૪.
ઘોઘારી લોહાણા
મૂળ ગામ મહુવા હાલ પૂના મહેશ મનહરલાલ કારીયા (ઉં. વ.૬૯) તા. ૧૬-૪-૨૪ના અવસાન પામેલ છે. તે વર્ષાબેનના પતિ. તે અશ્ર્વિન અને ઝરણાના પિતાશ્રી. તે નિધી અને અનંતના સસરા. તે જીવણલાલ હંસરાજ વાલંબીઆના જમાઈ. સરોજબેન મનહરલાલ કારીયાના પુત્ર. તે રમેશ, નરેશ (રાજુ) અને શિલ્પા નવિનચંદ્રના ભાઈ, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિસા સોરઠિયા વણિક
સ્વ. ભારતી શાહ (પોરબંદર) (ઉં. વ. ૭૧) હાલ કાંદિવલી તે સ્વ. ધીરેન્દ્ર નારણદાસ શાહના પત્ની. કવિન, જતીન અને નેહાના મમ્મી. ભૈરવી, મમતા અને ગૌરવના સાસુ. દીવીત અને વીઆના દાદી. પ્રેરિત અને દેવના નાની ગુરુવાર, ૧૮-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૦-૪-૨૪ના લોહાણા બાલાશ્રમ, મથુરાદાસ એકટેન્શન રોડ, નિયર અતુલ ટાવર, કાંદીવલી (વે) ૫ થી ૭.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…