આમચી મુંબઈ

મરાઠા આરક્ષણ: મનોજ જરાંગેના ઉપવાસનો 17મો દિવસ, મધરાતે સરકારી પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા

જાલના: મરાઠા આરક્ષણની માંગને લઈને છેલ્લા 16 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા મનોજ જરાંગે પાટીલ હજુ પણ પોતાની ભૂખ હડતાળ પર અડગ છે. મનોજ જરાંગેએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી મરાઠા આરક્ષણનો નવો GR નહીં આવે ત્યાં સુધી તેઓ ઉપવાસ પાછા નહીં ખેંચે. જ્યાં સુધી સામાન્ય મરાઠા લોકોના હાથમાં અનામતનો પત્ર નહીં આવે ત્યાં સુધી હું મારી ભૂખ હડતાળ બંધ કરીશ નહીં. હું તમને પૂછ્યા વિના કોઈ પગલું નહીં ભરું. હું તમારી આગળ નહીં જઈશ. હું તમારા માટે મારો જીવ જોખમમાં મુકીશ, એમ જરાંગે પાટીલે કહ્યું હતું.

મધરાતે સરકારી પ્રતિનિધિમંડળે મનોજ જરાંગે પાટિલ (મરાઠા આરક્ષણ) સાથે 40 મિનિટ ચર્ચા કરી હતી. જે બાદ કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવે અને રાજ્યના પ્રધાન ગિરીશ મહાજને જરાંગે પાટીલના પ્રતિનિધિમંડળ સાથે બંધ બારણે ચર્ચા કરી હતી. ચર્ચા સકારાત્મક રહી છે અને મુખ્યપ્રધાન સંતુષ્ટ છે કે નહી તે સવારે મુખ્યપ્રધાન પોતાનો સંદેશ મોકલશે ત્યારે ખબર પડશે. મનોજ જરાંગે પાટીલે પ્રતિક્રિયા આપી છે કે અમે આજે આખો દિવસ તેમની રાહ જોઈશું.


કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવે અને પ્રધાન ગિરીશ મહાજન અંતરવાલી સરટી ગામમાં ભૂખ હડતાળ પર બેઠેલા જરાંગે પાટીલ ને‌ મળવા પહોંચ્યા હતા. મધરાતે તેમણે જરાંગે પાટીલના પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા કરી. જરાંગે પાટીલની અનશનનો આજે 17મો દિવસ છે. કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવેએ કહ્યું કે તેમની ભૂખ હડતાલને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. મેં અને અમારા રાજ્ય પ્રધાન ગિરીશ મહાજને જરાંગેની ટીમ સાથે ચર્ચા કરી છે.


ચર્ચા સંતોષકારક રહી. સરકાર અનામત માટે ગંભીર છે. રાવસાહેબ દાનવેએ કહ્યું કે આજની ચર્ચા બાદ જે મુદ્દાઓ સામે આવ્યા છે તેના પર અમે મુખ્યપ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે ચર્ચા કરીશું. રાવસાહેબ દાનવેએ કહ્યું કે હું દિલ્હીથી આવ્યો છું, ગિરીશ મહાજન મુંબઈથી આવ્યા છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત