નેશનલ

આ સદાબહાર અભિનેતાએ રાજકીય પક્ષ બનાવ્યો, સભાઓ પણ ગજવી, પરંતુ

રાજકીય પત્ર રચવો અને લોકોનો પ્રતિભાવ મેળવવો અલગ વાત છે, પરંતું લોકોના પ્રેમને મતમાં પરિવર્તીત કરવાનું કામ દરેક કરી શકતા નથી. દક્ષિણના અમુક કલાકારોને બાદ કરતા ફિલ્મી કલાકારોને રાજકીય ક્ષેત્રમાં ધારી સફળતા મળતી નથી. તેઓ કોઈ પક્ષના ઉમેદવાર તરીકે ટિકિટ મેળવી બેઠક પોતાને નામ કરે તેવું બને અથવા રાજ્યસભાના માર્ગે સંસદમાં પ્રવેશ કરે એવું બને, પરંતુ પોતાનો પક્ષ રચવો કે પોતાની રાજકારણી તરીકેની અલગ છાપ ઊભી કરવી એટલી આસાન નથી.

વિતેલા જમાનાના એક દિગ્ગજ અભિનેતાએ પણ પોતાની પાર્ટી બનાવી. The National Party of India. વાત કરીએ છીએ સદાબહાર અભિનેતા દેવ આનંદે (Dev Anand)ની. તેમણે સત્તાવાર રાજકીય પક્ષની રચના કરી અને મુંબઈના શિવાજી પાર્કમાં એક વિશાળ જાહેર સભા યોજી. પાર્ટીનું મેનિફેસ્ટો પણ બહાર પાડવામાં આવ્યું. તત્કાલીન બોમ્બે (હવે મુંબઈ)માં આ જાહેર સભામાં એકઠા થયેલા ભીડનો ખતરો દિલ્હી સુધી પહોંચ્યો હતો. એવું કહેવાય છે કે જનસભાની શક્તિ જોઈને ઈન્દિરા ગાંધીએ પણ તેમને સાથે મળી કામ કરવાની ઓફર આપી હતી, પરંતુ પોતાના માર્ગે ચાલતા દેવ આનંદે તેમના પ્રસ્તાવને ફગાવી દીધો હતો.


દેવ આનંદે આ પક્ષ ગુસ્સામાં અથવા જોશમાં આવી રચ્યો હતો. થયું એમ કે દેવ આનંદને ઈન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી વિશે સારું કંઈક બોલવાનું કહેવામાં આવ્યું હતું, પણ તેમણે સાફ ઈનકાર કર્યો. ત્યારબાદ ઈમરજન્સીમાં દેવ આનંદની ફિલ્મો અને ગીતે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ બધાથી અકળાયેલા દેવ આનંદે પાર્ટીનું એલાન કર્યું હતું.

1977માં જાણીતા વકીલ રામજેઠમલાણીએ દેવ આનંદને જનતા પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપ્યું. ઘણી વિચાર-વિમર્શ બાદ આખરે તેમણે જનતા પાર્ટીની તરફેણમાં પ્રચાર કરવાની સંમતિ આપી. જનતા પાર્ટીના નેતાઓ સાથે સ્ટેજ શેર કર્યું. કેટલાક ભાષણો પણ આપ્યા. પરંતુ અઢી વર્ષમાં જ મોરારજી દેસાઈને પદ છોડવું પડ્યું અને ચરણસિંહ કોંગ્રેસના ટેકાથી વડાપ્રધાન બન્યા, તેમને આઘાત લાગ્યો. કહેવાય છે કે અહીંથી તેમને નેતાઓને પાઠ ભણાવવા માટે પોતાની પાર્ટી બનાવવાનો વિચાર આવ્યો.


અભિનેતાનો ઈરાદો સમતાવાદી સમાજની સ્થાપના કરવાનો હતો. પોતાના મિજાજને લીધે જાણીતા દેવ આનંદે તેમની આત્મકથામાં જે લખ્યું છે તે ઉત્તમ છે. તેમણે લખ્યું કે પ્રાચીન સંસ્કૃતિને આધુનિક ભારત સાથે જોડવા માટે એક વિશાળ છલાંગની જરૂર છે. જો તમામ ગામડાઓ વીજળી અને પાણીની સુવિધાથી સજ્જ નાના શહેરોમાં પરિવર્તિત થઈ જાય તો કેવું હશે… દરેકને અંગ્રેજી શીખવવામાં આવે તો કેવું હશે… અને જો ખેડૂતો, મજૂરો, કુલીઓ અને ભદ્ર વર્ગના લોકો કારમાં મુસાફરી કરતી વખતે સંવાદિતા જાળવી શકે. જો આપણે લાગણીથી એકબીજા તરફ હાથ લહેરાવતા જોવામાં આવે તો તે કેવું હશે? આ એક આદર્શ સમાજનું સ્વપ્ન છે, અને જો હું રાજકારણમાં પ્રવેશીશ, તો હું તેને પૂર્ણ કરવા માંગુ છું.”

પત્રકાર રાશિદ કિડવાઈએ તેમના પુસ્તક ‘નેતાઓ, રાજકારણીઓ, નાગરિકો: ભારતીય રાજકારણને પ્રભાવિત કરનાર 50 વ્યક્તિત્વો’માં લખ્યું છે, “તેમના સમર્થકોમાં પંડિત જવાહરલાલ નેહરુની બહેન વિજય લક્ષ્મી પંડિત પણ હતા. જોકે તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. દેવ આનંદના અન્ય પ્રબળ સમર્થક નાની પાલખીવાલાએ પણ ચૂંટણીના રાજકારણમાં પ્રવેશવાનો ઇનકાર કર્યો હતો. તદુપરાંત, કેટલાક શ્રીમંત લોકો તરફથી ખાતરી હોવા છતાં, દાન મળવાની કોઈ શક્યતા જણાતી નથી. એટલું જ નહીં, 500થી વધુ લોકસભા બેઠકો માટે ઉમેદવારો શોધવાનું પણ મુશ્કેલ સાબિત થઈ રહ્યું હતું. દેવ આનંદના શબ્દોમાં કહીએ તો, શરૂઆતમાં જે લોકોએ ઉત્સાહ બતાવ્યો હતો તેમાં ધીમે ધીમે દેખાતી જડતાએ મારા ઉત્સાહને ઠંડો પાડ્યો… અને આ (રાષ્ટ્રીય) પાર્ટીના અંતનું કારણ બન્યું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…