નેશનલ

કેજરીવાલને 24 કલાકમાં કોર્ટમાંથી બીજો ઝટકો, અઠવાડિયામાં 5 વખત વકીલોને મળવાની માંગ ફગાવી

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને 24 કલાકની અંદર કોર્ટ તરફથી બીજો ઝટકો લાગ્યો છે. એક દિવસ પહેલા જ દિલ્હી હાઈકોર્ટે તેની ધરપકડને યોગ્ય ઠેરવી હતી અને તેમની ધરપકડ સામેની અરજી ફગાવી દીધી હતી અને આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે તેમની બીજી અરજી પણ ફગાવી દીધી છે. આ અરજીમાં સીએમ કેજરીવાલે અઠવાડિયામાં 5 વખત વકીલોને મળવાની માંગ કરી હતી.

હાલમાં અરવિંદ કેજરીવાલ અઠવાડિયામાં માત્ર બે વાર પોતાના વકીલોને મળી શકે છે. સીએમ કેજરીવાલના વકીલ વિવેક જૈને દલીલ કરી હતી કે કેજરીવાલ કોઈ રાહતની માંગ કરી રહ્યા નથી. સીએમ માત્ર તેમની સામે અનેક કોર્ટોમાં પેન્ડિંગ કેસોના સંબંધમાં વકીલો સાથે વધારાની બેઠકની માંગ કરી રહ્યા છે. એડવોકેટ વિવેક જૈને કહ્યું હતું કે કેજરીવાલ સામે 35 થી 40 કેસ પેન્ડિંગ છે.


વ્યક્તિને સમજવા અને સૂચના આપવા માટે અઠવાડિયામાં એક કલાક પૂરતો નથી. આ સૌથી મૂળભૂત કાયદાકીય અધિકાર છે, જે હેઠળ કેજરીવાલ પોતાના વકીલને મળવાની માંગ કરી રહ્યા છે. એડવોકેટ વિવેક જૈને કહ્યું હતું કે સંજય સિંહની સામે માત્ર 5 કે 8 કેસ નોંધાયા હોવા છતાં તેમને 3 મીટિંગની મંજૂરી આપવામાં આવી હતી.
કેજરીવાલની અરજી સામે EDના વકીલે કહ્યું હતું કે કેજરીવાલ 5 લીગલ મીટિંગની માંગ કરી રહ્યા છે, જે જેલ મેન્યુઅલની વિરુદ્ધ છે.


જ્યારે કોઈ વ્યક્તિ જેલમાં હોય છે ત્યારે તેની સાથે અન્ય કેદીઓની જેમ સમાન વ્યવહાર કરવામાં આવે છે. કેજરીવાલને પહેલા જ અઠવાડિયામાં 2 મીટિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ન્યાયિક કસ્ટડીમાં બહારની દુનિયા સાથેનો સંપર્ક મર્યાદિત અને કાયદા મુજબ હોય છે. જો કોઈ વ્યક્તિ જેલમાંથી સરકાર ચલાવવાનું પસંદ કરે છે, તો તેને અપવાદ ગણી શકાય નહીં અને વિશેષાધિકારો આપી શકાય નહીં. EDના વકીલે કહ્યું હતું કે કાનૂની બેઠકોનો પરામર્શ સિવાય અન્ય હેતુઓ માટે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. હવે આ મામલે પણ કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાં જઇ શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…