નેશનલવિજ્ઞાન અને ટેકનોલોજી

Chandrayaan-4: ચંદ્રયાન અંગે ISROના વડા એસ સોમનાથે આપ્યા મોટા અપડેટ, જાણો શું કહ્યું

ભારતની સ્પેસ એજન્સી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ISRO)ના ચંદ્રયાન-૩ મિશનની સફળતાને દુનિયાભરમાં બિરદાવામાં આવી રહ્યું છે. ઈસરો હવે ચંદ્રયાન-4 મિશન માટે તૈયારીઓ કરી રહ્યું છે, એવામાં ઈસરોના વડાએ મોટો દાવો કર્યો છે. ઈસરોના અધ્યક્ષ ડૉ. એસ. સોમનાથે(Dr. S Somnath) જણાવ્યું હતું કે 2040 સુધીમાં એક ભારતીય ચંદ્રની સપાટી પર ઉતરે એ માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ડૉ. એસ. સોમનાથે કહ્યું કે ચંદ્રયાન-4 મિશનના કોન્સેપ્ટને અપગ્રેડેડ વર્ઝનમાં વિકસાવવામાં આવી રહી છે. અવકાશ સંશોધન એ સતત ચાલતી પ્રક્રિયા છે અને ભારત તેના પર ઝડપથી કામ કરી રહ્યું છે. સોમનાથે કહ્યું કે વડાપ્રધાન મોદીએ 2040માં ચંદ્ર પર ઉતરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે, જેના પર ઈસરો સતત કામ કરી રહ્યું છે.

ઈસરોના વડા સોમનાથે કહ્યું કે ચંદ્રયાન-3ની સફળતા બાદ હવે વૈજ્ઞાનિકો ચંદ્રયાન-4 મિશન પર કામ કરી રહ્યા છે. આ મિશન શરૂ કરતા પહેલા, ચંદ્ર વિશે તમામ પ્રકારની માહિતી એકત્રિત કરવા માટે નાના યાન મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે અમને જે માહિતી મળશે તેના આધારે જ આગળનાં પગલાં લેવામાં આવશે. ISRO યુવાનો માટે ઘણા પ્રોજેક્ટ પણ ચલાવી રહ્યું છે અને સર્ટિફિકેટ કોર્સ પણ ઓફર કરવામાં આવી રહ્યા છે.

ચંદ્રયાન-3ના લોન્ચિંગ સમયે ડો.એસ સોમનાથ કેન્સર સામે લડી રહ્યા હતા. તેને આ વાતની જાણ ભારતના સૂર્ય મિશન આદિત્ય એલ-1ના લોન્ચ દરમિયાન થઈ હતી. ઈસરોના ચીફે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે આદિત્ય મિશનના લોન્ચિંગ પછી તરત જ તેમને સ્કેન કરાવવું પડ્યું હતું અને પછી બીમારીની જાણ થઈ હતી. જોકે, હવે તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે અને દવાઓ ચાલી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે 2040 સુધીમાં એક ભારતીય ચંદ્રની સપાટી પર ઉતરશે. આ મિશન હેઠળ, વ્યક્તિ ચંદ્રયાન-4થી ચંદ્ર પર જશે અને સેમ્પલ એકત્રિત કરીને તેને પૃથ્વી પર પરત લાવશે.

ગત વર્ષે ભારતના ચંદ્રયાન-3ને મોટી સફળતા મળી હતી. 14 જુલાઈ 2023ના રોજ ચંદ્રયાન-3 લોન્ચ કરવામાં આવ્યું હતું અને 23 ઓગસ્ટે તેણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડર મોકલનાર ભારત પહેલો દેશ બન્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો…