ટોપ ન્યૂઝનેશનલ

જબલપુરમાં પીએમ મોદીના રોડ-શો વખતે મોટી દુર્ઘટના, મંચ તૂટતા અનેક ઘાયલ

ઘણા બધા લોકો ચઢી જવાને કારણે થયો અકસ્માત

જબલપુર: લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોના પ્રચારમાં વ્યસ્ત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જબલપુરમાં પ્રચાર માટે રોડ શો કર્યો હતો. ગોરખપુર વિસ્તારમાં બનેલા બે સ્ટેજ તૂટી ગયા હતા જેને કારણે સ્ટેજ પર હાજર લોકો નીચે પડી ગયા, જેમાં મહિલા અને બાળકોનો સમાવેશ થાય છે.

આ અકસ્માતમાં લોકોની સાથે કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. જો કે કોઈને ગંભીર ઈજા થઈ ન હતી. વાસ્તવમાં પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે ક્ષમતા કરતા વધુ લોકો સ્ટેજ પર ચઢી ગયા હતા. જોકે, પોલીસે તેમને સમજાવવાના પ્રયાસો ચાલુ રાખ્યા હતા. પરંતુ લોકો જબરદસ્તી સ્ટેજ પર ચઢતા રહ્યા અને તે પછી આ અકસ્માત થયો હતો.

પીએમ મોદી રોડ શો કરવા જબલપુર પહોંચ્યા હતા.
મળતી માહિતી મુજબ દેશના વડા પ્રધાન અને ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીએ જબલપુરમાં રોડ શો કરીને મધ્ય પ્રદેશમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. વડા પ્રધાન મોદીના રોડ શો દરમિયાન પાર્ટીના કાર્યકરો અને લોકોની ભારે ભીડ રસ્તાઓ પર ઉમટી પડી હતી. આ દરમિયાન પીએમ મોદી અને પાર્ટીના ફોટો બેનરો ધરાવતા લોકો ‘અબ કી બાર, 400ને પાર’ અને ‘જય શ્રી રામ’ જેવા નારા લગાવી રહ્યા હતા. તે જ સમયે, વડા પ્રધાન મોદી હાથ જોડીને લોકોનું અભિવાદન કરી રહ્યા હતા. રોડ શો દ્વારા ભાજપે જનતામાં પાર્ટીની મજબૂત પકડ અને કાર્યકરોમાં ઉત્સાહનો સંદેશો ફેલાવ્યો હતો.

પીએમ સાથે સીએમ મોહન, ઉમેદવાર આશિષ દુબે પણ હાજર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો સાંજે 6.40 કલાકે કટંગાના ભગત સિંહ સ્ક્વેરથી ધાર્મિક મંત્રોચ્ચાર સાથે શરૂ થયો હતો. રોડ શો દરમિયાન વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી મોહન યાદવ, રાજ્ય સરકારના મંત્રી અને સ્થાનિક વિધાનસભ્ય રાકેશ સિંહ અને લોકસભાના ઉમેદવાર આશિષ દુબે વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા. રોડ શો દરમિયાન રોડની બંને તરફ મોટી સંખ્યામાં લોકો વડા પ્રધાનની એક ઝલક મેળવવા માટે ઉત્સાહિત જોવા મળ્યા હતા.

વડા પ્રધાન મોદીએ જબલપુરમાં રોડ શો વિશે સોશિયલ મીડિયા ડ પર લખ્યું કે આજે જબલપુરમાં રોડ શો ખૂબ જ શાનદાર હતો! અહીં મારા પરિવારના સભ્યોનો ઉત્સાહ અને જુસ્સો કહી રહ્યો છે કે અમે ત્રીજી ટર્મ માટે આશીર્વાદ આપવાના છીએ. બહેતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રસ્તાઓ સાથે, અમે અહીં દરેક ક્ષેત્રમાં અભૂતપૂર્વ કામ કર્યું છે. આનાથી જબલપુરના વિકાસને નવી પાંખો મળી છે.

મહિલાઓએ પરંપરાગત નૃત્ય રજૂ કર્યું હતું
રોડ શો દરમિયાન રોડ કિનારે આવેલા ઘરની બાલ્કની અને ટેરેસ પર મોટી સંખ્યામાં લોકો હાજર હતા. રોડ-શોના 1.2 કિમી લાંબા રૂટ દરમિયાન ઘણી જગ્યાએ મહિલાઓ પરંપરાગત નૃત્ય અને વડા પ્રધાન મોદીની આરતી કરતી જોવા મળી હતી. ’અમારો પરિવાર મોદી પરિવાર’ ના નારા સાથેના પોસ્ટરો પણ ઘરોમાં લગાવવામાં આવ્યા હતા. વડા પ્રધાનના સ્વાગત માટે રસ્તાની બંને બાજુએ મોટી સંખ્યામાં બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. વડા પ્રધાને પાર્ટીના ચૂંટણી ચિન્હ કમળનું ફૂલ પણ લહેરાવ્યું હતું. હાથ જોડીને અભિવાદન કરતા જોવા મળ્યા હતા. રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર રહી હતી.

સ્ટેજ ધરાશાયી થવાથી અડધો ડઝન લોકો ઘાયલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો દરમિયાન રામપુર-ગોરખપુર રોડ પર રસ્તાના કિનારે સ્વાગત મંચ ઊભો કરવામાં આવ્યો હતો. વડાપ્રધાનનું વાહન સ્ટેજની સામેથી પસાર થતાં જ લોકો તેમની એક ઝલક મેળવવા સ્ટેજ પર ચઢી ગયા હતા, જેના કારણે સ્ટેજ તૂટી પડ્યું હતું. ગોરખપુરના નેતા એચઆર પાંડેએ કહ્યું કે રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો વડા પ્રધાનની એક ઝલક મેળવવા માટે ચઢી ગયા હતા. વડા પ્રધાનનો કાફલો આગળ વધતાં જ સ્ટેજ ધરાશાયી થઈ ગયું હતું. આ ઘટનામાં અડધો ડઝન લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે. કોઈને ગંભીર ઈજા થઈ નથી.

છ બેઠક પર 19 એપ્રિલે મતદાન થવાનું છે
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મહાકૌશલ ક્ષેત્રની ચાર લોકસભા બેઠકો સહિત છ બેઠકો પર પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થવાનું છે. રોડ શો દરમિયાન 40 NSG કમાન્ડ, 20 IPS ઓફિસર અને ત્રણ હજાર જવાનો દ્વારા સુરક્ષા સંભાળવામાં આવી હતી. લગભગ 45 મિનિટમાં આદિ શંકરાચાર્ય ચોક પહોંચ્યા બાદ વડા પ્રધાનનો રોડ શો સમાપ્ત થયો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…