વીક એન્ડ

નહીં હોતા કભી ઝાહિર ગમોં કા રાઝ દુનિયા પર, હમારી આંખ કે આંસુ અગર હમને પિયે હોતે

ઝાકળની પ્યાલી – ડૉ. એસ. એસ. રાહી

ઝૂઠ કે હોતે ગયે સાયે ઘને,
કદ મગર સચ કા યહાં ગલતા રહા.
બેચા ન ગયા હમ સે હસરત કે ખિલૌનોં કો,
હમ યાર કભી ફન કો બાઝાર નહીં કરતે
ઉંગલી ઉઠા રહા હૈ વો મેરી ઝુબાન પર,
જિસ કા ઝહર મેં ડૂબા હુવા બયાન હૈ
મુસ્કુરાના ચાહિયે હર હાલ મેં કહતે હૈં વો,
જશ્ન અપની મૌત પર કૈસે મનાયા જાયેગા?
અલીલ મેરઠી
આશા-નિરાશા, છાયા-તડકા, મધુરતા-કટુતા, સુખ-દુ:ખ, સમસ્યા-સમાધાન તેમ જ રાજીપા-અજંપાનું સરળ ભાષામાં છતાં વેધકતા સાથે નિરૂપણ કરનાર શ્રી નરેન્દ્રકુમાર અમરનાથ શર્મા ‘અલીલ-મેરઠી’ના તખલ્લુસથી જાણીતા થયા છે. ઉત્તર પ્રદેશના મેરઠમાં ૯ જૂન ૧૯૫૫ના રોજ તેમનો જન્મ થયો હતો. એમ.એ.ની ડિગ્રી મેળવ્યા પછી આ શાયરે મેરઠથી ભરૂચમાં સ્થળાંતર કર્યું હતું. ૧૫ નવેમ્બર ૨૦૦૮ના રોજ ભરૂચમાં આ શાયરનું અવસાન થયું હતું.

ભરૂચ અને સુરતના શાયરો સાથે તેઓ નજીકનો સંબંધ અને સંપર્ક ધરાવતા હતા. તેમણે અનેક મુશાયરામાં ભાગ લીધો હતો. તેમનો પ્રથમ ગઝલસંગ્રહ ‘જિંદગી સે તો શીખ’ ઇ. સ. ૧૯૯૯માં અને બીજો ગઝલસંગ્રહ ‘અંધેરો કે સફર’ ઇ. સ. ૨૦૦૦માં પ્રગટ થયેલો.

આ શાયરે જિંદગીને ખૂબ જ નજીકથી અને પ્રેમપૂર્વક જોઇ હતી, જાણી હતી તેમ અનુભવી હતી. તેમની ગઝલોમાં કયાંય બનાવટ કે આયાસ નથી, પણ સાહજિકતા તથા સ્વાભાવિકતા છે. આ કારણને લીધે તેમના ઘણા શેર શાયરોમાં ભાવિકોનાં દિલોને તસલ્લી આપવાનું કામ કરે છે. આ શાયરે ઉજાસને પ્રેમ કર્યો હતો. તો અંધકારને તેમણે કયારેય તિરસ્કાર કર્યો નહોતો. આ વાત તેમના ઘણા શે’રમાં ઝબકી-ઝબકી ઉડતી જણાય છે.

આ સદ્ગત શાયરના કેટલાક મજાના શે’રનું હવે આચમન કરીએ.

  • તેરી ઝુલ્ફોં કે પેચોખમ સે જયાદા,
    હમારી જિંદગી ઉલઝી રહી હૈ
    તારી ઝુલ્ફોની આંટીઘૂંટી કરતાં તો અમારી જિંદગી (વિશેષ) ગૂંચવાઇ રહી છે. (તેનો કોઇ ઉકેલ ખરો?)
  • મોહબ્બત કી નિશાની હૂં, મુઝે સબ ‘તાજ’ કહેતે હૈં,
    મૈં ચાહૂંગા મેરા જઝબા હર ઇક દિલ મેં ઊતર જાયે.

હું તો પ્રેમની નિશાની છું અને મને બધા ‘તાજ’ કહે છે. હું ઇચ્છું છું કે મારું આકર્ષણ દરેકના હૃદયમાં (ઊંડે સુધી) ઉતરી જાય..

  • ફરહાદ હો કિ કૈસ યા મહિવાલ-રાંઝના,
    યે ઇશ્ક તો સદા રહા સૌદાઇ કા સફર
    ફરાહદ હોય, મજનૂ (કૈસ) હોય કે પછી મહિવાલ-રાંઝના હોય. વિશ્ર્વના આ બધા પ્રેમીઓ માટે પ્રેમ-પ્યાર તો હંમેશાં માટે પાગલ-વિક્ષિપ્ત રહ્યો છે.
  • ઇક નયા હૈ, ઇક પુરાના, ઝખ્મ દો હૈં જિસ્મ પર,
    તુમ પુરાના જખ્મ સહ લો, હમ નયા લે જાયેંગે.

મારા શરીરમાં બે જખમ છે. તેમાં એક નવો છે અને એક જૂનો પુરાણો છે. તમે જૂના જખમને સહન કરી લો. જ્યારે અમે તો નવા જખમન સાથે લઇ જઇશું.

  • રાગિની છેડ મત મોહબ્બત કી,
    ગમઝદા હૂં, સિતાર ચુભતી હૈ.

તું પ્રેમની રાગિણીને છેડ નહીં, હું દુ:ખી છું અને મને પેલી સિતાર ભોંકાઇ રહી છે.

  • દિલ કે હર અખબાર કી તાઝા ખબર,
    પઢ લિયા કરતી હૈ ચેહરોં સે નઝર
    આ નજર પાસે એવી ખૂબી છે કે તે હૃદયના દરેક અખબારની તાજી ખબર વાંચી શકે છે.
  • ગમ કી ભી તુઝ કો જરૂરત એક દિન પડ જાયેગી,
    જી ન પાઓગે અકેલે તુમ ખુશી કે સાથ મેં
    તમે આનંદ સાથે એકલા-અટૂલા જીવી નહીં શકો. કોઇ એક દિવસ તને વેદનાની પણ જરૂર પડશે.
  • અચ્છે-બુરે મેં હો યહાં પહચાન કિસ તરહ?
    રહઝન ભી તો નકાબ મેં રહબર નઝર આયે
    કોણ સારું અને કોણ ખરાબ છે તેની ઓળખ કેવી રીત કરવી? લૂંટારાએ બુકાની બાંધી હતી. તેથી અમે તો તેમને માર્ગદર્શક સમજયા હતા.
  • આબાદ હોને ચલ દિયા મહલોં મેં તૂ મગર,
    અપને પુરાને ઘર કે તો ખંડર સમેટ લે.

તું સુખાકારી માટે ભલે મહેલમાં જઇને વસી ગયો, પરંતુ તારા જૂના ઘરના ખંડેરને તારે સમેટી લેવાની જરૂર છે.

  • જિંદગી કે રાસ્તે કિતને કઠિન,
    પાંવ કે છાલોં ને કહ દી દાસ્તાં.

જીવનનો માર્ગ કેવો દુર્ગમ છે તેની અમને ખબર નહોતી, પરંતુ પગમાં પડેલા છાલાએ આ હકીકત અમને જણાવી દીધી.

  • બેચ ડાલી કૌડિયોં કે મોલ કયોં તૂને? અહમિયત ઇસ જિંદગી કી, કયોં નહીં સમજા?
    તે આ જીવનને કોડીઓના ભાવમાં કેમ વેંચી નાખ્યું? તને જિંદગીની મહત્તા શા માટે સમજાઇ નહીં.
  • અંધેરોં કે સફર મેં ગર ઉજાલા સાથ હો જાયે,
    હમારે વાસ્તે રોશન હર ઇક દિન-રાત હો જાવે.

અંધકારની યાત્રામાં જો અજવાળાનો સાથ-સંગાથ મળે તો અમારા માટે (જીવનનો) દરેક દિવસ અને રાત્રિ પ્રકાશિત થઇ જાય.

  • અગર કુછ સાલ રહતી તો નિભા લેતા અંધેરોં સે,
    હંમેશાં કે લિયે શબ કયો? મેરે ઘર મેં ઠહર જાયે.

આ અંધારું જો કેટલાંક વર્ષ સુધી રહેતું હોત તો હું તેને સહન કરી લેત, પરંતુ આ રાત્રિએ હંમેશ માટે મારા ઘરમાં કેમ ઉતારો કર્યો છે?

  • ઇન અંધેરોં સે હી ફૂટેગી કિરણ, શબ છુપા સકત નહીં તન્વીર કો.
    આ અંધકારમાંથી જ કોઇ કિરણ ફૂટી નીકળશે. આ રાત્રિ કોઇ જયોતિને છુપાવી શકશે નહીં.
  • જલ ગયા સારા શહર તોય સમઝ મેં આ ગયા,
    એક ચિનગારી બહુત હૈ ઘર જલાને કે લિયે
    આખું નગર બળીને જયારે ખાક થઇ ગયું તો અમે સમજી ગયા કે ઘરને બાળવા માટે માત્ર એક તણખો ઘણું કામ કરી શકે છે.
  • રાખ છૂને સે હાથ જલતા હૈ, કોઇ શોલા યહાં દબા હોગા. રાખને સ્પર્શ કરવાથી મારો હાથ દાઝી જાય છે. આ જગ્યામાં કોઇ ચિનગારી દબાયેલી પડી હશે તે વાત નક્કી છે. * એક ભી આસાર ખુશિયોં કા મુઝે દિખતા નહીં, આંસુઓં મેં ડૂબને કે અબ સભી ઇમ્કાન હૈં.
    આનંદ માટેનું કોઇ ચિત્ર મને નજરે પડતું નથી. જયારે આંસુઓમાં ડૂબવા માટે તો અહીં બધી જ વ્યવસ્થા છે.
  • બુલંદી સે ગિરેગા તો નિશાં તક બચ ન પાયેંગે, કિસી ને આસમાનોં પર કયો અપના ઘર બનાયા હૈ.
    કોઇએ આકાશમાં તેનું પોતાનું ઘર શા માટે બાંધ્યું હશે? જો તે આટલી ઊંચાઇ પરથી તે નીચે પટકાશે તો પછી તેનું કોઇ નામ-નિશાન બાકી નહીં રહે.
  • હો ગયા કિતના શહર મેં આજકલ બદનામ તૂ, રાઝે-દિલ ન કહને વાલે કયોં ઝુબાં તક લે ગયા?
    હૃદયમાં જે રહસ્યો ધરબાયેલાં હતાં તેને તેં શા માટે વ્યક્ત કરી દીધા? આ બાબતને લઇને આજકાલ તું આ નગરમાં કેટલો બદનામ થઇ રહ્યો છે તેની તને ખબર છે?
  • ઉસ કે ચેહરે સે નજર હટતી ન થી, વો બશર થા? આ ખુદા થા? કૌન થા?
    તેના ચહેરા પરથી મારી નજર દૂર થતી જ નહોતી તે કોણ હતું! તે મનુષ્ય હતો કે પછી ખુદા હતો?
  • છોડના ઘર કો ગવારા કર લિયા, કૈદ સે હમને રિહાઇ માંગ લી.
    અમે ઘરનો ત્યાગ કરવાનો નિર્ણય સ્વીકારી લીધો છે. અમોએ જેલમાંથી મુક્તિ માગી લીધી છે.
  • સુલગતી આગ મેં જિસને બદન અપના તપાયા હૈ,
    ઘડા વો ગાર-મિટ્ટી કા કભી કચ્ચા નહીં હોતા.
    જેણે સળગતી આગની ભઠ્ઠીમાં પોતાનો દેહ તપાવ્યો છે. તે ગાર-માટીમાંથી બનેલો ઘડો કયારેય કાચો હોતો નથી.
    (શ્રમજીવી માણસના શરીરનું પણ આવું જ હોય છે ને!)
  • ઉંગલી ઉઠા રહા હૈ વો મેરી ઝુબાન પર,
    જિસકા ઝહર મેં ડૂબા હુવા હર બયાન હૈ
    જેનું દરેક વર્ણન ઝેરમાં ડૂબેલું છે. તે શખસ મારા સાક્ષી ભાવ સામે આંગળી ચીંધવાનું ગેરવર્તન કરી રહ્યો છે.
  • બેચા ન ગયા હમ સે હસરત કે ખિલૌનોં કો,
    હમ યાર કભી ફન કો બાઝાર નહીં કરતે.
    અભિલાષા-ઇચ્છાના રમકડાં અમારાથી કયારેય વેચાઇ શકાયા નહીં. અરે મારા મિત્ર! અમે અમારા હુન્નર-કલાકારીગરીને કયારેય બજારમાં વેચતાં નથી.
  • નહીં હોતા કભી ઝાહિર ગમોં કા રાઝ દુનિયા પર, હમારી આંખ કે આંસુ અગર હમને પિયે હોતે.
    અમારી આંખોના આંસુઓ અમે પી ગયાં હોત તો દુ:ખ-દર્દનું રહસ્ય આ દુનિયામાં પ્રગટ થઇ શકયું ન હોત.
  • મુસ્કુરાના ચાહિયે હર હાલ મેં કહતે હૈં વો,
    જશ્ન અપની મૌત પર કૈસે મનાયા જાયેગા.
    તેઓ તો એમ કહે છે કે દરેક સ્થિતિમાં (અમારે) હસતા રહેવું જોઇએ. તો પછી અમારા મૃત્યુની ઉજવણી કેવી રીતે થશે તે તો તમે કહો.
  • જૂઠ કે હોતે ગયે સાયે ઘને,
    કદ મગર સચ કા યહાં ગલતા રહા.

જૂઠાણાના પડછાયા તો ગાઢ થતા ગયા અને સચ્ચાઇનો આકાર તો બસ ગળતો રહ્યો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત