આમચી મુંબઈનેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા ચૂંટણીઃ રામટેકથી પીએમ મોદી મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારના કરશે શ્રીગણેશ

મુંબઈ: લોકસભાની ચૂંટણી માટે મહાયુતિ દ્વારા મહારાષ્ટ્રના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી તેમાં સૌપ્રથમ નામ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું જ્યારે બીજું નામ ગૃહ પ્રધાન અમિત શાહનું હતું અને બંને દિગ્ગજો મહારાષ્ટ્રમાં છઠ્ઠી એપ્રિલથી રાજ્યમાં પ્રચાર સભાઓ ગજાવવાનું શરૂ કરશે. એટલે કે વિદર્ભથી ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દસમી એપ્રિલથી રામટેક ખાતેથી મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે.

છઠ્ઠી એપ્રિલે શાહ ગોંદિયા ખાતેથી ચૂંટણીની પ્રચાર સભાઓ અને રેલીઓ યોજવાનું શરૂ કરશે જ્યારે મોદી દસમી એપ્રિલે રામટેક ખાતેથી મહારાષ્ટ્રમાં પ્રચાર કરવાનું ચાલુ કરશે.


લોકસભા ચૂંટણીના મતદાનના પહેલા તબક્કામાં વિદર્ભમાં 19મી એપ્રિલથી પાંચ બેઠકો ઉપર મતદાન યોજવામાં આવશે. તે પહેલા મોદી અને શાહ અહીં પ્રચાર સભાઓ ગજાવશે. વિદર્ભમાં નાગપુર, ભંડારા-ગોંદિયા, ગદચિરોલી, રામટેક અને ચંદ્રપુર આ બેઠકો ઉપર 19મી એપ્રિલે મતદાન યોજવામાં આવશે.


Also Read : ઉદ્ધવની શિવસેનાને હવે હિન્દુત્વ સાથે કોઈ નિસ્બત નથી: ભાજપના નેતાનો દાવો

આ બેઠકોમાંથી રામટેક બેઠક ઉપર હાલ શિંદે જૂથના સાંસદ છે જ્યારે ચંદ્રપુરમાં કૉંગ્રેસના સાંસદ છે. બાકીની ત્રણેય બેઠક ઉપર હાલ ભાજપના સાંસદ છે. એટલે કે ચંદ્રપુર બેઠક ઉપર મહાયુતિનો વિજયી પરચમ લહેરાવવા માટે કમર કસવામાં આવી રહી છે. જ્યારે બાકીની બેઠકો ઉપર જીત હાંસલ કરવા માટે વધુ શ્રમ કરવો પડે તેવી જરૂર ન હોવાનું હાલ જણાઇ રહ્યું છે.

વિદર્ભને ભાજપનો ગઢ માનવામાં આવે છે ત્યારે મહારાષ્ટ્રમાં ‘મિશન-45’ એટલે કે ઓછામાં ઓછી 45 બેઠક ઉપર વિજય મેળવવા માટે વિદર્ભની તમામ બેઠકો જીતવાનું મહાયુતિના પક્ષોનું લક્ષ્ય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…