મરણ નોંધ

જૈન મરણ

શ્રી ખંભાત વિશા શ્રીમાળી જૈન
ખંભાત નિવાસી હાલ બોરીવલી, મુંબઈ, ગં.સ્વ. હંસાબેન મહેન્દ્રભાઈ ચોક્સી, (ઉં. વ. ૮૨) ૨૯-૩-૨૪ શુકવારના અરિહંતશરણ પામેલ છે. સ્વ. મહેન્દ્ર ભાઈ બંસીલાલ ચોકસીના પત્ની. આશિષભાઈ તથા અમિતભાઈના માતૃશ્રી. દશેનાબેન તથા કીંજલબેનના સાસુ. સ્વ.બંસીલાલ તથા સ્વ.ભૂરીબેનના વહુ. સ્વ.વિનોદભાઈ, દિનેશભાઈ, પ્રવીણભાઈ, મુકેશભાઈ, સ્વ.વિરમતી, દક્ષાબેનના ભાભી. સ્વ.કેશવલાલ ચોક્સી તથા સ્વ.ચંદ્રાબેન ના પુત્રી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી સોરઠ વિશા શ્રીમાળી જૈન
જૂનાગઢ નિવાસી હાલ ગોરેગાવ યશવંતીબેન નૌતમલાલ સંઘવી (ઉમર:૭૯) તે ૩૦/૩/૨૪ ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. નૌતમલાલ જમનાદાસ સંઘવીના ધર્મપત્ની. પ્રિતી, દીપ્તિ, શિલ્પા તથા જીજ્ઞાના માતુશ્રી. ચેતન, ગીરીશ, જીજ્ઞેશ તથા ધર્મેશના સાસુ. જીતેન્દ્રભાઈ તથા નીરુબેન ના ભાભી. પિયરપક્ષે રાજકોટ નિવાસી સ્વ. દયાબેન પાનાચંદ મહેતા ના દીકરી. પ્રાર્થનાસભા ૧-૪-૨૪ ના ૧૦ થી ૧૨ કલાકે સરદાર વલ્લભભાઈ પટેલ ભવન, એસ. વી. રોડ, જવાહર નગર, ગોરેગાવ વેસ્ટ.
શ્રી વાગડ બે ચોવીસી સ્થા.ગુર્જર જૈન
મૂળ રાપરના હાલે દાદર-મુંબઈ નિવાસી સ્વ.માધવીબેન (ઉં. વ. ૪૧) તે ધર્મેન્દ્ર ધીરજલાલ રતિલાલ મોરબીયાના પત્ની ૩૦-૩-૨૪, શનિવારના અરીહંતશરણ પામેલ છે તેઓ નીલાવંતીબેન ધીરજલાલ મોરબીયાના પુત્રવધુ. ચેતનાબેન નરેન્દ્ર શાહ,મમતાબેન મનીષ મહેતા તેમજ નિકુંજના ભાભી. ખ્યાતિબેનના જેઠાણી તેમજ પ્રિન્સ,પરીના માતુશ્રી. જેન્યાના કાકી,મૂળ રવના હાલે ગાંધીધામ નિવાસી કંચનબેન રજનીકાંતભાઈ કપૂરચંદ શેઠના સુપુત્રી. પ્રાર્થનાસભા ૧-૪-૨૪, સોમવારના રોજ ૪.૦૦ થી ૫.૩૦ ઠે. યોગી સભા ગૃહ-દાદર (ઈસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
નાના ભાડીયાના તારા લક્ષ્મીચંદ ગાલા (ઉં. વ ૫૮) ૩૦-૩-૨૪ના અવસાન પામેલ છે સ્વ. નાનબાઈ વેરશીના પુત્રવધુ. લક્ષ્મીચંદના ધર્મપત્ની. ચિરાગ, નીલીમાના માતૃશ્રી. વલસાડ અતગામના માતૃશ્રી દેવીબેન ભાણાભાઈ પટેલની પુત્રી. રામુ, ભીખુ, અનિલ, શકું, શશીકલા, સંગીતાના મોટા બેન. પ્રાર્થના સભા રાખેલ નથી. લક્ષ્મીચંદ વેરશી ગાલા, વૈશાલી પાર્ક, પ્લોટ નંબર ૬૫, પારડી, સાંઢપુર કૈલાસ રોડ, વલસાડ ઇસ્ટ.
શ્રી વાગડ વિ.ઓ.જૈન
ગામ ગાગોદરના સ્વ. રાણીબેન લખમણ વાલાના પૌત્ર. સ્વ. માતુશ્રી રામુબેન શીવજી ગડાના સુપુત્ર, ધનજી (ઉં. વ. ૭૧) બુધવાર, ૨૭-૩-૨૪ના મુંબઇ મધ્યે અવસાન પામેલ છે. રસીલાબેનના પતિ. ભરત, નીતીન, રેખાના પિતાશ્રી. કરમાબેન નોંઘા નિસરના જમાઇ. પ્રાર્થના સભા: સોમવાર, તા. ૦૧-૦૪-૨૦૨૪, પ્રા.સમય: બપોરે ૩.૦૦ થી ૪.૩૦. પ્રાર્થના સ્થળ: પ્યુપીલ્સ સ્કુલ, એસ.વી. રોડ, ખાર (વેસ્ટ), મુંબઇ. પ્રાર્થના પછી બરવિધી રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સિહોર નિવાસી હાલ બોરીવલી સ્વ. ધનલક્ષ્મીબેન વિનોદરાઈ નેમચંદ શાહ ના પુત્ર સ્વ. અશ્વિનભાઈ ના ધર્મ પત્ની પારૂલબેન (ચકુબેન) (ઉં. વ. ૬૨) તે ૩૦/૩/૨૪ અરિહંત શરણ પામેલ છે. તે પ્રતીક ના માતુશ્રી પિયર પક્ષે ઘેટી વાળા હાલ ભાંડુપ સ્વ.વિમળાબેન ચત્રભુજભાઈ પ્રાગજીભાઈ મેહતા ના દીકરી તથા જીતુભાઇ, મુકેશભાઈ, રેખાબેન સુરેશકુમાર ના બેન, ઇલાબેન અને મીનાબેન ના નણંદ.લોકિક વ્યવહાર બંધ રાખેલ છે. સરનામું- બી-૬૦૩, ડીએલએચ કેશ્લે સોસાયટી, રામનગર, એસ.વી.રોડ, કલ્યાણ જ્વેલર્સની પાછળ, બોરીવલી વેસ્ટ.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભાવનગર નિવાસી હાલ એટલાન્ટા, યુ.એસ.એ., સ્વ.પ્રતાપભાઈ મનસુખલાલ શાહના ધર્મપત્ની નિર્મળાબેન (ઉ.વ.૮૧) તા. ૨૯-૩-૨૦૨૪ને શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. તે ચિ. રૂપેશ, ચિ.અંજના રાજેન્દ્રભાઈ, ચિ. ભામીની રાજેષભાઈ તથા ચિ. આરતી મેહુલભાઈના માતુશ્રી, ચિ. અ.સૌ.હીરલના સાસુજી તથા મહિપતભાઈ અને સ્વ.જયાબેનના ભાભી, પિયરપક્ષે સ્વ. મનસુખલાલ તારાચંદ શાહના દિકરી અને વીરેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ, રંજનબેન તથા રેખાબેનના મોટાબેન, સરનામું-મહિપતભાઈ મનસુખલાલ શાહ, એ-૧૦૦૧, ભરત એપા. માર્વે રોડ, મલાડ -પશ્ચિમ, લોકિક વ્યવહાર રાખેલ નથી.
ખંભાત વિસા શ્રીમાળી જૈન
ખંભાત નિવાસી હાલ મુંબઇ, ચંદ્રકાંતભાઇ ભોગીલાલ શાહના ધર્મપત્ની પ્રવિણાબેન (ઉં. વ. ૮૫) તા. ૨૯-૩-૨૪ના સ્વર્ગવાસ પામેલ છે. તે શિરીષના માતુશ્રી. સંધ્યાના સાસુ, નવીનભાઇના ભાભી. પિયર પક્ષે સ્વ. સવિતાબેન રમણલાલ શાહના સુપુત્રી. સ્વ. ભૂપેન્દ્રભાઇ, જયંતભાઇ, રાજેશભાઇ તથા સુનીતીના બહેન. પ્રાર્થનાસભા તા.૧-૪-૨૪ સોમવારના ૪થી ૬. ઠે. યશવંતરાવ ચવાણ સેન્ટર, જગન્નાથ ભોસલે રોડ, નરીમાન પોઇન્ટ, મુંબઇ-૨૨.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો