નેશનલ

2023 માં ભાજપે 40% કમિશન લીધું હોવાનો કૉંગ્રેસનો દાવો

બેંગલૂરુઃ માનહાનિના કેસના સંબંધમાં કૉંગ્રેસના નેતાઓને વિશેષ અદાલતે સમન્સ જારી કર્યાના એક દિવસ બાદ કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિએ શુક્રવારે આક્ષેપ કર્યો હતો કે 2023 માં ભાજપે 40% કમિશન લીધું હતું અને પાર્ટી પાસે આરોપોને સાબિત કરવા માટે જરૂરી દસ્તાવેજો છે.

કોંગ્રેસે ગયા વર્ષે વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપે 40% કમિશન લીધું હોવાનો આક્ષેપ કર્યો હતો. “40% કમિશન”ની જાહેરાત પર ભાજપે કૉંગ્રેસની વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસની સુનાવણીમાં ગુરુવારે, બેંગલુરુમાં જનપ્રતિનિધિઓની વિશેષ અદાલતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા અને નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારને “40% કમિશન”ની જાહેરાત સમન્સ જારી કર્યા છે.


કોર્ટે કોંગ્રેસના નેતાઓને ચોક્કસ તારીખે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો. રાહુલ ગાંધીને 1 જૂને હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જ્યારે સિદ્ધારમૈયા અને શિવકુમારને 29 એપ્રિલે હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે.

જો કે, રાહુલ ગાંધીના કાનૂની પ્રતિનિધિએ ચૂંટણી પ્રતિબદ્ધતાને કારણે કોર્ટમાં હાજર રહેવાની તેમની અસમર્થતા દર્શાવી હતી. પરિણામે, કોર્ટે તેમની હાજરી 1 જૂનના રોજ શેડ્યૂલ કરીને સમય મુક્તિ આપી હતી. ગત વર્ષે વિધાનસભાની ચૂંટણી દરમિયાન કૉંગ્રેસે એક જાહેરાત પ્રસિદ્ધ કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભાજપે દરેક સરકારી કોન્ટ્રાક્ટમાં 40% લાંચ લીધી હતી. ભાજપે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી અને દાવો કર્યો હતો કે આ જાહેરાતથી પક્ષની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે.

ભાજપના રાજ્ય એકમના મહાસચિવ એસ શિવપ્રસાદ, જેમણે 9 મે, 2023 ના રોજ ખાનગી ફરિયાદ દાખલ કરી હતી, દલીલ કરી હતી કે જાહેરાતમાં ભાજપ વિરુદ્ધ ખોટા આરોપો છે, જેનાથી પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત