![Mukhtar Ansari, a former MLA, has been sentenced to 10 years in jail.](https://bombaysamachar.com/wp-content/uploads/2023/10/mukhtaransari__1_.webp)
નવી દિલ્હી: Mukhtar Ansari Death મુખ્તારનો મૃતદેહ ગાઝીપુર જિલ્લાના મુહમ્દાબાદમાં તેના પૈતૃક નિવાસસ્થાને પહોંચ્યો છે. ઉત્તર પ્રદેશ પોલીસની કડક સુરક્ષા વચ્ચે માફિયા મુખ્તાર અંસારીના મૃતદેહને (Mukhtar Ansari Body) બાંદાના પોસ્ટમોર્ટમ હાઉસથી ગાઝીપુર લાવવામાં આવ્યો છે. મૃતદેહનો કાફલો શુક્રવારે સાંજે 4:43 વાગ્યે બાંદાથી રવાના થયો અને બપોરે 1:15 વાગ્યે ગાઝીપુરના મુહમ્દાબાદમાં મુખ્તારના ઘરે પહોંચ્યો. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતદેહને ઘરની પાછળની બાજુથી લાવવામાં આવ્યો છે.
શુક્રવારે મધરાતે લગભગ 1.15 વાગ્યે, મુખ્તાર શબપેટીમાં મુહમ્દાબાદમાં તેના ઘરે પહોંચ્યો. લોકો ઘણા કલાકો સુધી ઘરની બહાર મૃતદેહની રાહ જોતા હતા. પરિવારજનોના જણાવ્યા અનુસાર શનિવારે સવારે 10 વાગ્યે જનાજાની નમાજ અદા કરવામાં આવશે, ત્યારબાદ કાલીબાગ સ્થિત કબ્રસ્તાનમાં મુખ્તારના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. શુક્રવારે રાત્રે જ તેણે ક્ષમા માટે પ્રાર્થના કરી અને ખીરાજે અકીદત રજૂ કરી.
બાંદા મેડિકલ કોલેજથી એમ્બ્યુલન્સમાં શુક્રવારે સાંજે લગભગ 4.43 કલાકે તેમના મૃતદેહને ગાઝીપુર મોકલવામાં આવ્યો હતો. કડક સુરક્ષા વ્યવસ્થા અને એમ્બ્યુલન્સ સહિત 21 વાહનો સાથે, બાંદાથી ગાઝીપુરનું અંતર લગભગ 8.32 કલાકમાં કવર કરવામાં આવ્યું હતું.
આ હરસ બાંદાથી ફતેહપુર, કૌશામ્બી, પ્રયાગરાજ અને ભદોહી થઈને લગભગ 10.32 વાગ્યે વારાણસી પહોંચ્યું, પછી ગાઝીપુર જવા રવાના થયું. મુખ્તારનો નાનો દીકરો ઓમર અંસારી અને મોટી વહુ નિખત અંસારી મૃતદેહ લઈને બાંદાથી આવ્યા હતા.
માફિયા મુખ્તાર અંસારીનું ગુરુવારે મોડી રાત્રે હાર્ટ એટેક (કાર્ડિયા અરેસ્ટ)થી અવસાન થયું. મુખ્તારને મૃત્યુના લગભગ ત્રણ કલાક પહેલા માંડલ જેલમાંથી મેડિકલ કોલેજમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યાં નવ તબીબોની ટીમ તેની સારવારમાં લાગી હતી. રાત્રે લગભગ સાડા દસ વાગે પ્રશાસને મુખ્તારના મૃત્યુની માહિતી જાહેર કરી. ત્યાં સુધી મુખ્તારના પરિવારનો કોઈ સભ્ય મેડિકલ કોલેજ પહોંચ્યો ન હતો.
ગુરુવારે સાંજે લગભગ 6.30 વાગ્યે જેલમાં મુખ્તારની તબિયત લથડી હતી. આ પછી, વહીવટી અધિકારીઓ મૃત્યુ સ્થળ પર પહોંચ્યા અને લગભગ 8.30 વાગ્યે તેને મેડિકલ કોલેજ લાવવામાં આવ્યો. જ્યાં તેને બે કલાક સુધી સારવાર આપવામાં આવી હતી. તેમને ICUમાંથી CCUમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રાત્રે 10:30 વાગ્યાની આસપાસ તેનું મોત થયું હતું.