મેટિની

રણદીપ હુડા ઉર્ફે આપણા પોતાના ક્રિશ્ચિયન બેલ

પ્રાસંગિક – ડી. જે. નંદન

પોતાના જીવનમાં સુષ્મિતા સેનના બોયફ્રેન્ડ તરીકે ઓળખ મેળવનાર રણદીપ હુડ્ડા, આ દિવસોમાં બોલીવુડના પોતાના ક્રિશ્ચિયન બેલ તરીકે એક નવી ઓળખથી ઘેરાયેલા છે. તેની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ ’સ્વાતંત્ર્ય વીર સાવરકર’માં તેણે પોતાની બોડી ટ્રાન્સફોર્મેશનનો એવો જાદુ બતાવ્યો છે કે તેના ચાહકો તેની અભિનય ક્ષમતાના પ્રશંસક બની ગયા છે. હાલના દિવસોમાં તેના લાખો ચાહકોએ સોશિયલ મીડિયા પર તેને ’ક્રિશ્ચિયન બેલ’ કહેવાનું શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે ઈંગ્લિશ એક્ટર ક્રિશ્ચિયન બેલ બોડી ટ્રાન્સફોર્મેશનવાળી એક્ટિંગ માટે જાણીતો છે. મશિનિસ્ટ ફિલ્મમાં તેના જીવંત અભિનય માટે તેણે ૨૯ કિલોથી વધુ વજન ઘટાડ્યું હતું. તે એક ગંભીર સાયકો થ્રિલર હતી, જેમાં તેણે અનિદ્રાથી પીડિત એક ફેક્ટરી કામદારની ભૂમિકા ભજવી હતી. આજકાલ કંઈક આવી જ પ્રસિદ્ધી બોલિવૂડના ક્રિશ્ચિયન બેલ એટલે કે રણદીપ હુડ્ડાને મળી રહી છે.

જો કે તેમના દિગ્દર્શન હેઠળ બનેલી આ ફિલ્મ વ્યવસાયિક દૃષ્ટિકોણથી બહુ સફળ નથી, પરંતુ જે રીતે તેમણે સાવરકરના પાત્રમાં ઘુસીને પોતાને સાચા અર્થમાં પરિવર્તિત કર્યા છે, એ જોઈને માત્ર તેમના ચાહકો જ નહીં, વિવેચકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. રણદીપ હુડ્ડા, જે રોહતકના એક એવા પરિવારમાંથી આવે છે, જેમાં તેની માતા, પિતા અને બહેન બધા ડોક્ટર છે અને તેના પરિવાર તરફથી તેના પર પણ ડોક્ટર બનવાનું દબાણ હતું, પરંતુ પરિવારના તમામ દબાણ છતાં તેણે પહેલા રમત રમવાનું શરૂ કર્યું. સ્થાનિક કક્ષાએ તે પોતાની જાતને વ્યસ્ત રાખીને આ દબાણથી દૂર રહ્યો, પછી ઓસ્ટ્રેલિયાથી માર્કેટિંગમાં એમબીએ કર્યા પછી પણ તે માર્કેટિંગમાં પોતાનું દિલ લગાવી શક્યો નહીં. નાનપણથી જ, તેને એવી પ્રવૃત્તિઓ કરવામાં આનંદ આવતો હતો જે લોકોને તેની તરફ આકર્ષિત કરે છે અને રમતની જેમ, અભિનય પણ તેના માટે એક પ્રવૃત્તિ છે જેમાં તે લોકોને સંબોધિત કરી શકે છે.

દિલ્હીમાં ૨૦૦૧માં તેની પહેલી નોકરી દરમિયાન, જ્યારે તે પાર્ટ-ટાઈમ થિયેટર કરી રહ્યો હતો, ત્યારે મીરા નાયરની નજર તેના પર પડી અને તેમણે ૨૦૦૧માં આવેલી તેમની ફિલ્મ ’મોન્સૂન વેડિંગ’માં તેને એનઆરઆઈ પાત્ર તરીકે કાસ્ટ કર્યો. જો કે આ ફિલ્મમાં તેના અભિનયની વિવેચકોએ પ્રશંસા કરી, પરંતુ તેને તેની આગામી ફિલ્મ મેળવવામાં ચાર વર્ષ લાગી ગયા. ૨૦૦૫ માં, રામ ગોપાલ વર્માએ તેને ગેંગસ્ટર ફિલ્મ ’ડી’માં મુખ્ય ભૂમિકામાં કાસ્ટ કર્યો અને તે ફિલ્મમાં તેનો અભિનય એવો હતો કે વિવેચકોએ કહ્યું કે જો રણદીપ હુડાને કાસ્ટ ન કરવામાં આવ્યો હોત, તો જેવું તેનું પાત્ર ઉભરી આવ્યું, એવું ન આવત.

ફિલ્મ ’ડી’ પછી હુડ્ડાને રાહ જોવી ન પડી. ’ડરના ઝરૂરી હૈ’ (૨૦૦૬), ’રિસ્ક (૨૦૦૭), ’રુબરુ’ (૨૦૦૮) અને ’લવ ખીચડી (૨૦૦૯). જો કે આ બધી ફિલ્મોને બિઝનેસમાં સફળતા ન મળી, પરંતુ આ બધામાં રણદીપ હુડ્ડાની એક્ટિંગે તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લાખો ચાહકો બનાવી દીધા. ૨૦૧૦નું વર્ષ તેમના માટે ટર્નિંગ પોઈન્ટ બનીને આવ્યું, જ્યારે તેણે મિલન લુથરિયાની ફિલ્મ ’વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’માં એપિક રોલ કર્યો. પીરિયડ, એક્શન અને ડ્રામાવાળી આ ફિલ્મમાં રણદીપ હુડ્ડા મુંબઈમાં ઉભરી રહેલા સંગઠિત અપરાધની કલ્પનાને એક વિશેષ ઊંચાઈ સુધી લઈ ગયો.

ફિલ્મમાં તેની એક્ટિંગના બધાએ વખાણ કર્યા. એટલું જ નહીં, ’ધ હિંદુ’ના સુદીશ કામથે તેને સ્ક્રીનનો નવો અભિતાભ બચ્ચન કહ્યો અને ફિલ્મ વિવેચક કોમલ નાહટાએ તેને સાક્ષાત્કાર ગણાવ્યા.

આવા ગુણો ધરાવતા રણદીપ હુડ્ડાની જ્યાં દરેક જગ્યાએ ક્રિશ્ચિયન બેલ તરીકે ધૂમ મચી છે, પરંતુ તેના માટે પ્રશંસાનું આ તોફાન નવું નથી. ૨૦ ઓગસ્ટ, ૧૯૭૬ના રોજ જન્મેલા રણદીપ હુડ્ડાએ થોડા મહિનાઓ પહેલા પરંપરાગત મણિપુરી મીતેઈ લગ્ન સમારોહમાં મણિપુરી અભિનેત્રી અને મોડલ લીન લેશરામ સાથે લગ્ન કરી પ્રશંસા મેળવી હતી. જોકે, આજકાલ તેની ચર્ચા તેના અભિનય કૌશલ્ય પર જ કેન્દ્રિત છે. એક હિસ્ટોરિકલ બાયોગ્રાફિકલ ફિલ્મમાં રણદીપ હુડ્ડાએ જે રીતે ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકરના શરીરમાં પ્રવેશ કરી, તેમને મોટા પડદા પર પ્રગટ કર્યા છે, તે ’ન ભૂતો, ન ભવિષ્યતિ’ છે. આ માટે તેણે પોતાનું ૧૮ કિલોથી વધુ વજન ઘટાડ્યું છે. થોડા દિવસો પહેલા તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફિલ્મના શૂટિંગ દરમિયાનની પોતાની એક તસવીર શેર કરી હતી. આ શર્ટલેસ ચિત્રમાં તેના શરીરમાં માત્ર હાડકાં જ દેખાય છે. લોકોએ તેના સમર્પણની ખૂબ પ્રશંસા કરી. પરંતુ તેણે આ કમાલ પહેલીવાર નથી કર્યું.

૨૦૧૬માં તેણે ફિલ્મ ’સરબજીત’ના સેટ પરથી પણ પોતાની આવી જ એક તસવીર શેર કરી હતી, જેને જોઈને રુવાડા ઊભા થઈ ગયા હતાં. ફિલ્મમાં પણ તેણે જેલમાં નબળા પડી ગયેલા સરબજીતને પડદા પર જીવંત કરવા માટે ૧૮ કિલોથી વધુ વજન ઘટાડ્યું હતું. વારંવાર આ રીતે વજન ઘટાડવાની કળા અંગે પત્રકારો દ્વારા તેને પૂછવામાં આવતા તેણે કહ્યું કે તે તેના માટે શક્ય છે કારણ કે તે એક સ્પોર્ટ્સ પર્સન છે. સાવરકર ફિલ્મની વાર્તા અને પટકથા તેમણે લખી છે અને ફિલ્મ હિન્દી અને મરાઠી એમ બે ભાષામાં બની છે.

જો કે હિન્દીમાં ફિલ્મને સારો રિસ્પોન્સનથી મળ્યો, પરંતુ મરાઠીમાં તેને સારી ઓપનિંગ મળી છે અને આશા છે કે આ ફિલ્મ મરાઠીમાં સારો બિઝનેસ કરશે. આ ફિલ્મ ભલે બિઝનેસમાં બહુ કમલ ન કરી શકે, પરંતુ રણદીપ હુડ્ડાની ગતિશીલ અભિનયને કારણે ક્રિશ્ચિયન બેલ સાથે જે રીતે સરખામણી થઈ છે તે કોઈ ઓછી મોટી વાત નથી. એક અભિનેતા માટે જીવનની સૌથી મોટી સંપત્તિ એ છે કે લોકો તેને તેની અદભૂત અભિનય માટે જાણે છે, જે રણદીપ હુડ્ડાએ કરી દેખાડ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Kuno National Park Celebrates Mothers Among Magnificent Mammals રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing