આમચી મુંબઈમહારાષ્ટ્ર

વિરાર ટોલ નાકા નજીક રૂ. 5.50 કરોડની લૂંટ: આરોપીઓ પાસેથી 4.87 કરોડની રોકડ, બે કાર જપ્ત

મુંબઈ: કાલબાદેવીના આંગડિયાની કારને મુંબઈ-અમદાવાદ હાઇવે પર વિરાર ટોલ નાકા નજીક આંતરીને રૂ. 5.50 કરોડની લૂંટ ચલાવનારી ટોળકીના ત્રણ સભ્યની ધરપકડ કરીને ક્રાઇમ બ્રાન્ચે 4.87 કરોડની રોકડ તથા બે કાર જપ્ત કરી હતી.

આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે માટુંગાના મુરગનંદન અભિમન્યુ (46), કાંદિવલીના બાબુ મોડા સ્વામી (48) અને સાયનના બાલાપ્રભુ શનમુગમ (39)ની ગયા સપ્તાહે ધરપકડ કરી હતી. મુરગનંદન અભિમન્યુ વિરુદ્ધ ધારાવી પોલીસ સ્ટેશનમાં 2007માં હત્યાનો ગુનો નોંધાયો હતો અને આ કેસમાં તેને દોષી જાહેર કરાયો હતો.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના વેપારીના રૂ. 5.50 કરોડ લઇને ત્રણ કર્મચારી 17 માર્ચે સુરતથી કારમાં મુંબઈ આવી રહ્યા હતા ત્યારે રાતે વિરાર ટોલ નાકા નજીક તેમની કારને આરોપીઓએ આંતરી હતી. અન્ય કારમાં આવેલા પાંચ આરોપીએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને તેમના આઇ કાર્ડ પણ બતાવ્યા હતા. બાદમાં તપાસને બહાને એક કર્મચારીને પોતાની કારમાં બેસાડીને આરોપીઓ રોકડ સાથે ફરાર થઇ ગયા હતા. કર્મચારીને બાદમાં રસ્તામાં ઉતારી દેવામાં આવ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…