નેશનલ

AAP નેતા રાઘવ ચઢ્ઢાની યુકેમાં આંખની સર્જરી થશે

નવી દિલ્હીઃ AAP રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા આંખના રેટિના ડિટેચમેન્ટને રોકવા માટે યુનાઇટેડ કિંગડમમાં વિટ્રેક્ટોમી સર્જરી કરાવશે, એમ પાર્ટીના સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું.

‘રેટિનલ ડિટેચમેન્ટ’ એ એવી સ્થિતિ છે જ્યાં આંખની પાછળની નાજુક પેશી તેની સામાન્ય સ્થિતિથી અલગ થઈ જાય છે, જેના કારણે દ્રષ્ટિ ગુમાવવી પડે છે.

જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો, આ નાના છિદ્રો ઝડપથી વધી શકે છે, જેના કારણે દ્રષ્ટિની ગંભીર ક્ષતિ અથવા અંધત્વ પણ થઈ શકે છે.

AAPના સૂત્રોના જણાવ્યા અનુસાર, ચઢ્ઢાને બ્રિટનમાં વરિષ્ઠ નેત્ર ચિકિત્સકની દેખરેખ હેઠળ આ સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે હાલમાં તેમની આંખોની સ્થિતિ સ્થિર છે અને તેમની દ્રષ્ટિને કોઈ નુકસાન થયું નથી.

રાઘવ ચઢ્ઢા આમ આદમી પાર્ટીના છે. તેમણે કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે અને ત્યારબાદ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી અભ્યાસ કર્યો છે. તેઓ સીએ થયા છે. રાજનીતિમાં આવતા પહેલા રાઘવે ઘણી મોટી કંપનીઓમાં સીએ તરીકે કામ કર્યું છે.

અન્ના આંદોલન પછી રાઘવ કેજરીવાલની નવી બનેલી AAPમાં જોડાયા અને ત્યારથી તેમણે પાર્ટીમાં ઘણી મોટી જવાબદારીઓ નિભાવી છે. રાઘવ રાજ્ય કક્ષાના બેડમિન્ટન ખેલાડી પણ રહી ચુક્યા છે અને 24 સપ્ટેમ્બર 2023ના રોજ તેમણે બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી પરિણીતી ચોપરા સાથે લગ્ન કર્યાં છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે