નેશનલસ્પોર્ટસ

મણિપુરના MMA ફાઇટર ચુંગરેંગ કોરેનની પીએમ મોદીને ઇમોશનલ અપીલ

મણિપુરના મિક્સ્ડ માર્શલ આર્ટ્સ ફાઇટર ચુંગરેંગ કોરેનની એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ફરતી થઈ રહી છે, જેમાં તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વંશીય હિંસાથી પ્રભાવિત ઉત્તરપૂર્વીય રાજ્યની મુલાકાત લેવા અને શાંતિ પુનઃસ્થાપિત કરવા અપીલ કરે છે.

મેટ્રિક્સ ફાઈટ નાઈટ (MFN)ના મુકાબલામાં ભાગ લીધા બાદ બોલતી વખતે ચુંગરેંગ કોરેન ભાવુક બની જતા આ વીડિયોમાં કેપ્ચર કરવામાં આવ્યું છે. “આ મારી નમ્ર વિનંતી છે. મણિપુરમાં હિંસા થઈ રહી છે. લગભગ એક વર્ષ થઈ ગયું છે. લોકો મરી રહ્યા છે અને ઘણા લોકો રાહત શિબિરોમાં છે. આ રાહત શિબિરોમાં ખોરાક અને પાણીની અછત છે. બાળકો યોગ્ય રીતે અભ્યાસ કરી શકતા નથી. ભવિષ્ય અસ્પષ્ટ છે. મોદીજી, કૃપા કરીને એકવાર મણિપુરની મુલાકાત લો અને રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરો,” ચુંગરેંગ કોરેનને બોલતા સાંભળવા મળ્યા હતા.

તેમનો આ વીડિયો ક્લિપ શેર કરતાં, યુથ કોંગ્રેસના પ્રમુખે પણ શેર કરી હતી. શ્રીનિવાસ બીવીએ હિન્દીમાં લખ્યું હતું કે, “આ છે મણિપુરના ચુંગરેંગ કોરેન. જો મણિપુર વડા પ્રધાનના પરિવારનો હિસ્સો હોત તો આજે કદાચ મણિપુરના બધા નાગરિકો આમ રડતા ના હોત.

ભાજપે હજી સુધી આ ઘટના ક્રમ અંગે સત્તાવાર નિવેદન આપ્યું નથી. મણિપુરમાં વંશીય હિંસામાં ગયા વર્ષે મે થી અત્યાર સુધીમાં સેંકડો લોકો માર્યા ગયા અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. વંશીય હિંસા અરાજકતામાં પરિણમી છે અને ભૂગર્ભ આતંકવાદી જૂથોને સમર્થન ફરી મળ્યું છે.

મણિપુરની વસ્તીના લગભગ 53 ટકા મેઇતી સમુદાયના લોકો છે જેઓ ઇમ્ફાલ ખીણ વિસ્તારમાં રહે છે અને 40 ટકા વસતી નાગા અને કુકી સમુદાયની છે, જેઓ હિલ વિસ્તારમાં રહે છએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ