નેશનલ

Haryana: નવા મંત્રીઓ શપથ લેતા હતા અને અનિલ વીજ ‘પાણિપુરી’ ખાતા હતા, ખટ્ટરે કહ્યું, ‘તેને માનવી લેવાશે…’

નવી દિલ્હી: Haryana Political Crisis:હરિયાણામાં સત્તાપલટો થયો છે. મંગળવારે બપોરે મનોહર લાલ ખટ્ટરે મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું (Manohar Lal Khattar resigned) અને સાંજે નાયબ સિંહ સૈનીએ (Naib Singh Saini) નવા સીએમ તરીકે શપથ લીધા હતા. આ સમગ્ર ઘટના દરમિયાન ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજની (Anil Vij) નારાજગીના સમાચાર પણ સામે આવ્યા હતા. ખટ્ટરે પોતે કહ્યું હતું કે તેમનો (વિજ) આવો સ્વભાવ છે. તેઓ 1990 થી ઓળખે છે. પણ તેમને મનાવી લેશે. બીજી તરફ અનિલ વિજ પોતાના હોમ ટાઉન અંબાલામાં ગોલગપ્પા અને આલૂ ટિક્કી ખાતા જોવા મળ્યા હતા.

મળતી માહિતી મુજબ, મંગળવારે સાંજે જ્યારે ચંદીગઢમાં નવી સરકાર બની રહી હતી અને CM સહિત મંત્રીઓ શપથ લઈ રહ્યા હતા, ત્યારે અનિલ વિજ હરિયાણાના અંબાલામાં ગોલગપ્પા અને આલૂ ટિક્કી ખાઈ રહ્યા હતા. વિજનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પોતાના સમર્થકો અને સુરક્ષાકર્મીઓ સાથે ગોલગપ્પાની દુકાને પહોંચે છે. તેઓ ત્યાં લોકોને મળે છે અને હસવા લાગે છે. તે પછી વિજ પ્લેટમાં ગોલગપ્પા ખાય છે. બાદમાં આલૂ ટિક્કી ખાય છે અને સ્વાદના વખાણ પણ કરે છે.

મંગળવારે પૂર્વ CM ખટ્ટરે અનિલ વિજના ગુસ્સામાં મીટિંગ છોડી જવાના સવાલનો જવાબ આપ્યો હતો. ખટ્ટરે કહ્યું હતું કે, હું અનિલ વિજને 1990થી ઓળખું છું. ક્યારેક તેઓ ગુસ્સે થઈ જાય છે અને પછી પોતાની સાથે સંમત થાય છે. ઝડપથી ગુસ્સો આવે છે પણ ઝડપથી સંમત પણ થઈ જાય છે. એ તેમનો સ્વભાવ છે.

અગાઉ પણ આવા કિસ્સા બન્યા છે. તેઓ ચિંતિત છે પરંતુ અમે તેમની સાથે વાત કરી રહ્યા છીએ. અમારા નવા મુખ્યપ્રધાન પણ તેમની સાથે વાત કરશે. તેમનું નામ કેબિનેટમાં પણ છે, પરંતુ તેમણે કહ્યું કે હવે મારૂ મન નથી. હવે જુઓ તેમનું મન જ નથી તો પછી કોઈ પરાણે તો કેમ કામ કરવી શકે? આગળ ફરીથી તેમની સાથે વાત કરીશું.

અગાઉ જ્યારે કેન્દ્રીય નિરીક્ષકોની પાર્ટીની ટીમ ચંડીગઢ પહોંચી, ત્યારે ખટ્ટર અને તેમની મંત્રી પરિષદના અન્ય તમામ 13 સભ્યોએ રાજ્યપાલને તેમના રાજીનામા સુપરત કર્યા હતા. સૈની કેબિનેટમાં જે પાંચ ધારાસભ્યોએ શપથ લીધા છે તેમાંથી ચાર ભાજપના અને એક અપક્ષ છે. જોકે, ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અને અંબાલા કેન્ટના છ વખતના ધારાસભ્ય અનિલ વિજને નવા કેબિનેટમાં સ્થાન મળ્યું નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…