આમચી મુંબઈ

આજે ત્રણેય લાઇનમાં બ્લોક

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકલ ટ્રેન એ મુંબઈ અને મુંબઈગરાઓની લાઈફલાઈન છે, કારણ કે રોજ લાખો મુંબઈગરા આ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરે છે. હવે આ લોકલ ટ્રેનના સિગ્નલ મેઈન્ટેનન્સ અને બીજા ટેક્ધિકલ વર્ક માટે મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. આવતીકાલે મધ્ય રેલવે, હાર્બર લાઈન અને પશ્ર્ચિમ રેલવે એમ ત્રણેય લાઈન પર બ્લોક હાથ ધરવામાં આવશે.
મળી રહેલી માહિતી પ્રમાણે રવિવારે મધ્ય રેલવે પર સીએસએમટી વિદ્યાવિહાર વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન પર જ્યારે હાર્બર લાઈન પર પનવેલ- વાશી અપ લાઈન અને પશ્ર્ચિમ રેલવે પર ચર્ચગેટ-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે અપ-ડાઉન લાઈન પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે
મધ્ય રેલવે પર સીએસમટી-વિદ્યાવિહાર વચ્ચે સવારે ૧૧થી બપોરે ૪ વાગ્યા સુધી અપ-ડાઉન સ્લો લાઈન પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન સીએસએમટી-વિદ્યાવિહાર વચ્ચે અપ-ડાઉન સ્લો લોકલ ટ્રેનો અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે. દરમિયાન આ લોકલ ટ્રેનોને કુર્લા, સાયન, માટુંગા, દાદર, પરેલ અને ભાયખલા સ્ટેશન પર હોલ્ટ આપવામાં આવશે.
હાર્બર લાઈન પર સવારે ૧૧થી બપોરે ચાર વાગ્યા સુધી પનવેલ-વાશી વચ્ચે અપ-ડાઉન લાઈન પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. દરમિયાન પનવેલથી સીએસએમટી જતી અપ લાઈન પરની લોકલ ટ્રેનો અને સીએસએમટીથી પનવેલ, બેલાપુર માટે રવાના થતી ડાઉન લોકલ ટ્રેનો રદ રહેશે. પનવેલથી થાણે માટે અને થાણેથી પનવેલ માટે રવાના થનારી લોકલ ટ્રેનો નિયત સમય પ્રમાણે દોડાવવામાં આવશે.
પશ્ર્ચિમ રેલવે પર સવારે સાડાદસ વાગ્યાથી બપોરે સાડાત્રણ વાગ્યા સુધી ચર્ચગેટથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે અપ-ડાઉન લાઈન પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન અપ-ડાઉન સ્લો લોકલ અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત