ઇન્ટરનેશનલનેશનલ

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને ભારતની ચેતવણી, કહ્યું ;વૈશ્વિક સંસ્થા “ગુમનામી” તરફ આગળ વધી રહી છે’

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં તાત્કાલિક સુધારાની જરૂરિયાતો પર ભાર મૂક્યો છે અને કહ્યું છે કે વૈશ્વિક સંસ્થા “ગુમનામી” તરફ આગળ વધી રહી છે. લાંબી ચર્ચા પર નિરાશા વ્યક્ત કરતા, યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે (Ruchira Kamboj) જણાવ્યું હતું કે 2000 માં મિલેનિયમ સમિટમાં વિશ્વના નેતાઓએ વ્યાપક સુધારાઓ માટે પ્રતિબદ્ધ થયાને લગભગ 25 વર્ષ વીતી ગયા છે. હાલમાં, માત્ર પાંચ સ્થાયી સભ્યો – ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને યુએસ – પાસે વીટો પાવર છે. તેમણે વૈશ્વિક પડકારો અને યુક્રેન અને ગાઝા જેવા સંઘર્ષોના સમાધાનને બદલે વિક્ષેપ ઉભો કરવા માટે કાઉન્સિલની કાર્યવાહીનો ઉપયોગ કર્યો છે.

રુચિરા કંબોજે સુરક્ષા પરિષદના સુધારા પર એક અનૌપચારિક બેઠક દરમિયાન જણાવ્યું હતું કે, “1990ના દાયકાની શરૂઆતથી બે દાયકાથી વધુ સમયથી સુરક્ષા પરિષદના સુધારા પર ચર્ચાઓ ચાલી રહી છે. વિશ્વ અને આપણી ભાવિ પેઢીઓ વધુ રાહ જોઈ શકે નહીં.” હજુ તેમણે કોટલી રાહ જોવી પડશે…?” કંબોજે ખાસ કરીને આફ્રિકામાં, યુવા પેઢીઓના અવાજો પર ધ્યાન આપવા અને ઐતિહાસિક અન્યાયને સુધારવાના મહત્વ પર ભાર મૂકતા, સુધારા તરફ નક્કર પ્રગતિનો આગ્રહ કર્યો હતો.

કંબોજે યુએનમાં યથાસ્થિતિ જાળવવા સામે ચેતવણી આપતાં વધુ સર્વસમાવેશક અભિગમનો પ્રસ્તાવ મૂક્યો અને કહ્યું કે સુરક્ષા પરિષદના વિસ્તરણને અસ્થાયી સભ્યો સુધી મર્યાદિત કરવાથી તેની રચનામાં અસમાનતાઓ વધી શકે છે. તેમણે કાઉન્સિલની એકંદર કાયદેસરતાને વધારવા માટે પ્રતિનિધિત્વ અને સમાન ભાગીદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

કંબોજે કહ્યું, “આફ્રિકા સહિત યુવા અને ભાવિ પેઢીઓના અવાજો પર ધ્યાન આપીને આપણે સુધારાને આગળ વધારવા જોઈએ, જ્યાં ઐતિહાસિક અન્યાયને સુધારવાની માંગ વધુ પ્રબળ બની રહી છે.” પરંતુ આપણે યુન કાઉન્સિલને ગુમનામી અને અપ્રાસંગિક થવાના માર્ગ પર મોકલવાનું જોખમ લઈ રહ્યા છીએ. વધુ પ્રતિનિધિત્વ માટે ભારતના આહ્વાનને પુનરાવર્તિત કરીને, G4 દેશો (ભારત, બ્રાઝિલ, જર્મની અને જાપાન) એ 193 સભ્ય દેશોના મંતવ્યો, ખાસ કરીને અસ્થાયી કેટેગરીમાં વિવિધતા અને બહુલતાને પ્રતિબિંબિત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

જનરલ એસેમ્બલીમાં યુએનના સભ્ય દેશો સાથે વિગતવાર G4 મોડલ શેર કરતી વખતે કંબોજે જણાવ્યું હતું કે, “1945માં જ્યારે કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી હતી ત્યારની વાસ્તવિકતાઓએ આધુનિક યુગ અને નવી સદીની ભૌગોલિક રાજકીય વાસ્તવિકતાઓને ઘણા સમય પહેલા જ બદલી નાખી છે અને હવે પરિવર્તનની જરૂરીયા અનુભવાઈ રહી છે.” તેમણે કહ્યું કે આ નવી વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખીને G4 મોડલ છ સ્થાયી અને ચાર કે પાંચ અસ્થાયી સભ્યોને ઉમેરીને સુરક્ષા પરિષદની સભ્યતા વર્તમાન 15 થી વધારીને 25 થી 26 કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્યો તરીકે બે આફ્રિકન દેશો અને બે એશિયા પેસિફિક દેશો, એક લેટિન અમેરિકન અને કેરેબિયન દેશ અને પશ્ચિમ યુરોપિયન અને અન્ય પ્રદેશોના એક દેશનો સમાવેશ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. G4 મોડલ મુજબ, સુરક્ષા પરિષદની વર્તમાન રચના સભ્યપદની બંને શ્રેણીઓમાં મુખ્ય ક્ષેત્રોના “સ્પષ્ટ રીતે ઓછા પ્રતિનિધિત્વ અને બિન-પ્રતિનિધિત્વ”ને કારણે તેની કાયદેસરતા અને અસરકારકતા માટે ‘હાનિકારક’ છે. તેમાં એ વાત પર ભાર આપવામાં આવ્યો છે કે સંઘર્ષોનો સામનો કરવા અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવામાં કાઉન્સિલની અસમર્થતા સુધારાની તાત્કાલિક જરૂરિયાતને રેખાંકિત કરે છે.

ઉલ્લેખનિય છે કે હાલમાં માત્ર પાંચ સ્થાયી સભ્યો – ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને અમેરિકા પાસે વીટો પાવર છે. તેઓએ તેનો ઉપયોગ વૈશ્વિક પડકારો અને યુક્રેન અને ગાઝા જેવા સંઘર્ષો દરમિયાન કાઉન્સિલની કાર્યવાહીને વિક્ષેપિત કરવા માટે કર્યો છે. કાઉન્સિલના બાકીના 10 દેશો બે વર્ષની મુદત માટે અસ્થાયી સભ્યો તરીકે ચૂંટાય છે અને તેમની પાસે વીટો પાવર નથી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત