નેશનલ

કાંદામાં ભાવ વધારાનો ડરઃ સરકારે Bangladesh અને UAEથી નિકાસની આપી મંજૂરી

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની જાહેરાત પૂર્વે જીવન જરુરી ચીજવસ્તુઓ સહિત શાકભાજીના ભાવને નિયંત્રિત કરવા માટે સરકાર કમર કસી શકે છે, તેમાંય વળી કાંદાના ભાવને અંકુશમાં રાખવા માટે તાજેતરમાં યુએઈ અને બાંગ્લાદેશથી નિકાસને મંજૂરી આપી છે.

વાણિજ્ય મંત્રાલયની સૂચના અનુસાર સરકારે નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ્સ લિમિટેડ(એનસીઇએલ) દ્વારા યુએઇ અને બાંગ્લાદેશમાં ૬૪,૪૦૦ ટન કાંદાની નિકાસને મંજૂરી આપી છે, જેમાં બાંગ્લાદેશમાં ૫૦,૦૦૦ ટન ડુંગળીની નિકાસની મંજૂરી છે અને યુએઇમાં ૧૪,૪૦૦ ટનની નિકાસની મંજૂરી આપવામાં આવી છે.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)એ એક સૂચનામાં જણાવ્યું હતું કે એનસીઇએલ દ્વારા યુએઇને ત્રિમાસિક ૩,૬૦૦ મેટ્રિક ટનની મર્યાદા સાથે ૧૪,૪૦૦ ટન ડુંગળીની નિકાસ સૂચિત કરવામાં આવી છે.

ડીજીએફટીએ વાણિજ્ય મંત્રાલયની એક શાખા છે, જે આયાત અને નિકાસ સંબંધિત ધોરણો સાથે વ્યવહાર કરે છે. બાંગ્લાદેશમાં નિકાસ માટે એનસીઇએલ દ્વારા ઉપભોક્તા બાબતોના વિભાગ સાથે પરામર્શ કરીને નિકાસ માટેની પદ્ધતિ નક્કી કરવામાં આવશે, એમ જણાવાયું છે.

કાંદાની નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં સરકાર મૈત્રીપૂર્ણ રાષ્ટ્રોને ચોક્કસ માત્રામાં મંજૂરી આપે છે. સરકાર દ્વારા અન્ય દેશોને તેમની વિનંતીના આધારે આપવામાં આવેલી પરવાનગીના આધારે નિકાસને મંજૂરી આપવામાં આવે છે.

ઓગષ્ટમાં ભારતે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ સુધી કાંદા પર ૪૦ ટકા નિકાસ જકાત લાદી હતી. આ નાણાકીય વર્ષમાં ૧ એપ્રિલ, ૨૦૨૩થી ૪ ઓગષ્ટ, ૨૦૨૩ની વચ્ચે દેશમાંથી ૯.૭૫ લાખ ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી છે. મૂલ્યની દ્રષ્ટિએ ટોચના ત્રણ આયાત કરનારા દેશો બાંગ્લાદેશ, મલેશિયા અને યુએઇ છે. ડુંગળી રાજકીય રીતે સંવેદનશીલ કોમોડિટી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…