નેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

‘વોટના બદલે નોટ’ મામલે સંસદીય વિશેષાધિકાર લાગુ નહીં પડે, જનપ્રતિનિધિની થઈ શકશે ધરપકડ: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: ‘વોટના બદલે નોટ’ મામલે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. (SC Decision Note for Vote) જો સાંસદો મતદાન કરવા અથવા ગૃહમાં ભાષણ માટે પૈસા લેશે તો તેમની સામે કેસ દાખલ કરવામાં આવશે. આવા સાંસદોને આ કેસમાં કોઈ છૂટ મેળવી શકશે નહીં. 1998માં, 5 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે 3:2ની બહુમતીથી નિર્ણય લીધો હતો કે આવા કેસમાં જનપ્રતિનિધિઓ સામે કાર્યવાહી કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને રદ કર્યો છે. તેનો સ્પષ્ટ અર્થ છે કે જો કોઈ સાંસદ કે ધારાસભ્ય ગૃહમાં મતદાન માટે લાંચ લેશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. તે કાર્યવાહીથી બચી શકશે નહીં.

સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે અમે તમામ પાસાઓ પર નિર્ણય લીધો અને વિચાર્યું કે શું સાંસદોને આમાંથી મુક્તિ આપવી જોઈએ? અમે આ સાથે અસંમત છીએ. એટલા માટે અમે તેને બહુમતીથી ફગાવીએ છીએ. તેમણે કહ્યું કે અમે પી નરસિમ્હા રાવ કેસમાં ચુકાદાને ફગાવી દીધો છે.

સુપ્રીમ કોર્ટે અગાઉના નિર્ણયને ફગાવી દીધો છે. કોર્ટે કહ્યું છે કે અમે અગાઉના નિર્ણય સાથે સહમત નથી. હવે લાંચના કેસમાં ધરપકડમાંથી મુક્તિ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે લાંચ લેવા પર સંસદીય વિશેષાધિકાર લાગુ પડતો નથી.

sc decision note for vote case now arrest in bribery case MPs

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…