Ranji Trophy રમનારા Rohit Sharmaનું નિધન, આ બીમારીથી પીડાઈ રહ્યો હતો…
![Ranji Trophy player Rohit Sharma passed away, suffering from this disease](https://bombaysamachar.com/wp-content/uploads/2024/03/yogesh-20.jpg)
હેડિંગ વાંચીને તમે પણ જો ચોંકી ગયા હોવ તો તમને જણાવી દેવાનું કે અહીં તમે જે સમજી રહ્યા છો એવું નથી. અહીં તો રણજી ટ્રોફી રમી રહેલાં ભૂતપૂર્વ ક્રિક્ટરની વાત થઈ રહી છે જેનું નામ પણ Rohit Sharma છે.
ક્રિકેટની દુનિયામાંથી દુઃખદ સમાચાર આવી રહ્યા છે અને મળી રહેલી માહિતી પ્રમાણે ભૂતપૂર્વ ક્રિકેટર રોહિત શર્મા (Rohit Sharma)નું 40 વર્ષની વયે નિધન થયું છે. લિવર સંબંધિત સમસ્યાથી પીડાઈ રહ્યો હતો.
સારવાર માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન જ તેનું નિધન થઈ ગયું હતું. રોહિત શર્મા રાજસ્થાની રણજી ક્રિકેટ ટીમમાંથી રમતો હતો. રોહિત શર્મા એક આક્રમક બેટ્સમેનની સાથે સાથે જ લેગ સ્પિનર બોલર પણ હતો.
મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો રાજસ્થાનનો આ ભૂતપૂર્વર ખેલાડીનું શનિવારે જયપુર ખાતેની હોસ્પિટલમાં નિધન થયું હતું. રોહિત શર્માને લિવર સંબંધિત સમસ્યા હતી અને ચાર-પાંદ દિવસ પહેલાં તેને નજીકની હોસ્પિટલમાં સારવા માટે દાખલ કરવામાં આવ્યો હતો.
રોહિતના નિધનને કારણે રાજસ્થાનની ક્રિકેટ ટીમમાં શોકની લાગણી ફરી વળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા રણજી ટીમમાં નોંધપાત્ર ગેમ દેખાડી છે.