આવતીકાલે આ લાઇનમાં રહેશે બ્લૉક, જાણીલો શું રહેશે લોકલનું ટાઈમટેબલ
![Tomorrow there will be a night block in central railway, know the details of the block](https://bombaysamachar.com/wp-content/uploads/2024/01/Mumbai-India-June-12-2022-Mumbai-suburban-loc_1694458400877-780x470.webp)
મુંબઈ: રેલવે દ્વારા વિવિધ એન્જિનિયરિંગ અને મેન્ટેનન્સના કામકાજ માટે મુંબઈ ડિવિઝનના મધ્ય અને હાર્બર લાઇનમાં બ્લૉક લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બ્લૉક દરમિયાન માર્ગની દરેક ટ્રેનોના સમયમાં બદલાવની સાથે અમુક ટ્રેનોને રદ રાખવામાં આવી છે. તેમ જ અનેક ટ્રેનો બ્લૉક દરમિયાન 15-20 મિનિટ મોડી દોડશે એવી માહિતી રેલવે દ્વારા જાહેર કરવામાં આવી છે.
રેલવેની માહિતી મુજબ રવિવારે મધ્ય રેલવેના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી સવારે 10.48 વાગ્યાથી બપોરે 3.49 વાગ્યા દરમિયાન રવાના થતી દરેક લોકલ ટ્રેનોને સીએસએમટીથી વિદ્યાવિહાર સ્ટેશન દરમિયાન ફાસ્ટ માર્ગ પર ડાઈવર્ટ કરવામાં આવશે, જેથી ડાઉન માર્ગની બધી લોકલને ભાયખલા, પરેલ, દાદર, માટુંગા, સાયન અને કુર્લા સ્ટેશન પર હોલ્ટ આપવામાં આવશે અને તે બાદ સ્લો માર્ગ પર વળાવવામાં આવશે.
તેમ જ સીએસએમટી જતી અપ લોકલને સવારે 10.41 વાગ્યાથી બપોરે 3.52 વાગ્યા દરમિયાન કુર્લા, સાયન, માટુંગા, દાદર, પરેલ અને ભાયખલા સ્ટેશન દરમિયાન ફાસ્ટ લાઇન પર વળાવવામાં આવશે.
હાર્બર લાઇનમાં પણ માનખુર્દથી નેરળ દરમિયાન અપ અને ડાઉન બંને માર્ગમાં સવારે 11.15 વાગ્યાથી બપોરે 4.15 વાગ્યા સુધ બ્લૉક લેવામાં આવવાનો છે. આ બ્લૉક પહેલા સીએસએમટીથી પનવેલ જતી છેલ્લી લોકલ સવારે 10.14 વાગ્યે બ્લૉક પછીની પહેલી લોકલ બપોરે 3.36 વાગ્યે છૂટશે. તેમ જ પનવેલથી છેલ્લી લોકલ સવારે 10.33 વાગ્યે અને પહેલી લોકલ સાંજે 4.10 વાગ્યે છૂટશે એવી માહિતી રેલવે અધિકારીએ આપી હતી.