નેશનલ

હાઇ કોર્ટે કેન્દ્રીય માહિતી આયોગના આદેશને રદ કર્યા

સીબીડીટી પાસે રામ મંદિર ટ્રસ્ટ વિશે માગી હતી માહિતી

નવી દિલ્હી: દિલ્હી હાઇકોર્ટે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનના આદેશને ફગાવી દીધો છે. જેમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ(સીબીડીટી)ને રામ મંદિરના નિર્માણ અને સંચાલનની દેખેરખ રાખતા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને લગતી માહિતી પ્રદાન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

હાઇ કોર્ટે ૨૮ ફેબ્રુઆરીના રોજ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ(સીબીડીટી) દ્વારા સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન(સીઆઇસી)ના ૩૦ નવેમ્બર, ૨૦૨૨ના આદેશને પડકારતી અરજીને મંજૂરી આપી હતી. ન્યાયધીશ સુબ્રમોનિયમ પ્રસાદે જણાવ્યું હતું કે માહિતીનો અધિકાર (આરટીઆઇ) અરજીમાં માગવામાં આવેલી માહિતી મેળવવા માટે અરજદાર કૈલાશ ચંદ્ર મુન્દ્રા માટે આવકવેરા કાયદા હેઠળ યોગ્ય સત્તાધિકારીનો સંપર્ક કરવો હંમેશા ખુલ્લો છે. હાઇ કોર્ટ સીબીડીટીના સેન્ટ્રલ પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર(સીપીઆઇઓ)ની અરજી પર સુનાવણી કરી રહી હતી. જેમાં ૩૦ નવેમ્બર, ૨૦૨૨ના રોજના સીઆઇસીના આદેશને રદ કરવાની માગ કરવામાં આવી હતી. જેમાં નિર્દેશ આપવામાં આવ્યો હતો કે સીપીઆઇઓ આરટીઆઇ કાયદા હેઠળ અરજીમાં આપવામાં આવેલા કેટલાક મુદ્દાઓ પર પુનર્વિચાર કરશે.

આરટીઆઇ અરજદારે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેના દાન માટે સંબંધિત જોગવાઇઓ હેઠળ મુક્તિ અથવા કપાત મેળવવા માટે ફાઇલ કરેલા તમામ જોડાણો સાથેની સંપૂર્ણ અરજીની નકલ માગી હતી. તેણે ટ્રસ્ટની કામગીરીની નકલ પણ માગી હતી. જે તેના દાન માટે મુક્તિ અથવા કપાત મેળવવા માટે અરજી સાથે ફાઇલ કરવામાં આવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ