તરોતાઝા

એઇમ્સનો દબદબો વધતો જાય છે

પીએમ નરેન્દ્ર મોદીએ રવિવારે રાજકોટમાં એઈમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. ગુજરાતની આ પ્રથમ એઈમ્સ છે. પીએમ મોદીએ 2020માં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેનો શિલાન્યાસ કર્યો હતો. આ હોસ્પિટલ 1195 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે. પીએમ મોદીએ તેમની બે દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન રાજકોટ ઉપરાંત એઈમ્સ કલ્યાણી, એઈમ્સ મંગલગીરી, એઈમ્સ ભટિડા અને એઈમ્સ રાયબરેલીનું પણ ઉદ્ઘાટન કર્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.
રાજકોટ એઈમ્સ વિશે માહિતી આપતા ગુજરાતના આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે આ હોસ્પિટલ 201 એકરમાં ફેલાયેલી છે. આમાં વર્લ્ડ ક્લાસ ટ્રીટમેન્ટ આપવામાં આવશે. હોસ્પિટલમાં 720 બેડ હશે અને તેમાં સુપર સ્પેશિયાલિટી બેડ પણ હશે. તેમણે એમ પણ કહ્યું હતું કે પીએમ મોદી 23 ઓપરેશન થિયેટરો, આયુષ બ્લોકના 30 બેડ અને 250 આઈપીડી બેડનું ઉદ્ઘાટન કરશે અને બાકીના બેડ ધીમે ધીમે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો કે રાજકોટના પરા પીપળીયા ગામ પાસે આવેલી આ હોસ્પિટલનો બહારના દર્દી વિભાગ પહેલેથી જ કાર્યરત છે. પીએમ મોદીએ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન ઘણા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને ઘણાનો શિલાન્યાસ પણ કર્યો.
એઇમ્સ તબીબી સંશોધનમાં અગ્રેસર છે, તેની ફેકલ્ટી અને સંશોધકો દ્વારા એક વર્ષમાં 600થી વધુ સંશોધન પ્રકાશનો બનાવવામાં આવે છે. એઈમ્સમાં નર્સિંગ કોલેજ પણ ચાલે છે અને અહીં બી. એસસી. વિદ્યાર્થીઓને (ઓન) નર્સિંગ પોસ્ટ સર્ટિફિકેટ ડિગ્રી માટે પણ તાલીમ આપવામાં આવે છે. સંસ્થામાં શિક્ષણ, સંશોધન અને દર્દીની સંભાળ માટે વ્યાપક સુવિધાઓ છે.
એઇમ્સ તબીબી અને પેરામેડિકલ અભ્યાસક્રમોમાં અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક બંને સ્તરે શિક્ષણ કાર્યક્રમો પ્રદાન કરે છે અને વિદ્યાર્થીઓને તેની પોતાની ડિગ્રી આપે છે. અહીં 42 વિષયોમાં અધ્યાપન અને સંશોધન હાથ ધરવામાં આવે છે. એઇમ્સની સ્થાપના 1956માં કરવામાં આવી હતી અને તે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ સ્વાયત્ત રીતે કાર્ય કરે છે.
પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ દેશભરમાં 22 અખિલ ભારતીય તબીબી વિજ્ઞાન સંસ્થાઓ (એઇમ્સ) ની સ્થાપના માટે અત્યાર સુધીમાં મંજૂરી આપવામાં આવી છે. 22 એઇમ્સમાંથી 16માં શિક્ષણ, સંશોધન અને દર્દીની સંભાળની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ કહ્યું છે કે છેલ્લાં 60 વર્ષમાં દેશમાં માત્ર 6 એઈમ્સ હતી, પરંતુ પીએમ મોદીની સરકારમાં નવી 15 થી નવી એઈમ્સ દેશને સમર્પિત કરવામાં આવી રહી છે. 10 હજાર કરોડના ખર્ચે બનેલ રાજકોટ સહિત અન્ય 6 તમામ એઈમ્સ દેશની આરોગ્ય પ્રણાલીને મજબૂત કરશે અને લોકોને વધુ સારી આરોગ્ય સેવાઓ પ્રદાન કરશે. ડો. માંડવિયાએ જણાવ્યું હતું કે 25 ફેબ્રુઆરીએ દેશમાં પાંચ એઈમ્સ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી છે, જેમાં રાજકોટ એઈમ્સ (ગુજરાત), મંગલગીરી એઈમ્સ (આંધ્રપ્રદેશ), રાયબરેલી એઈમ્સ (ઉત્તર પ્રદેશ), કલ્યાણી (પશ્ચિમ બંગાળ) એઈમ્સનો સમાવેશ થાય છે. અને ભટિડા એઈમ્સ. આ તમામ એઈમ્સને વિકસાવવા માટે કેન્દ્ર સરકારે 10 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ
કર્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…