નેશનલ

મધ્ય પ્રદેશમાં ભાજપના કાર્યકરોને કેન્દ્રીય ગૃહ પ્રધાને શું કર્યું આહ્વાન?

ગ્વાલિયરઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભાજપના કાર્યકરોને આગામી લોકસભા ચૂંટણીમાં ૩૭૦થી વધુ બેઠકો જીતવાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે છેલ્લી સામાન્ય ચૂંટણીની તુલનામાં દરેક બૂથમાં ૩૭૦ વધારાના મત મેળવવાનો પ્રયાસ કરવા જણાવ્યું હતું.

તેઓ મધ્યપ્રદેશના ગ્વાલિયર-ચંબલ ક્લસ્ટરની બૂથ મેનેજમેન્ટ કમિટીના લગભગ ૪૦૦ નેતાઓ અને કાર્યકરો સાથે વાત કરી રહ્યા હતા. જેમાં ચાર લોકસભા બેઠકો- મોરેના, ભીંડ, ગુના અને ગ્વાલિયરનો સમાવેશ થાય છે. દરેક મત પાર્ટી માટે ગણાય છે.

અમિત શાહે જણાવ્યું હતું કે તેમણે કાર્યકરોને છેલ્લી ચૂંટણીઓની તુલનામાં દરેક બૂથમાં વધારાના ૩૭૦ મતોની ખાતરી કરવા જણાવ્યું હતું, એમ એક સ્થાનિક ભાજપ નેતાએ જણાવ્યું હતું. જેમણે આ બેઠકમાં હાજરી આપી હતી. શાહને ટાંકીને નેતાએ કહ્યું કે લોકસભા ચૂંટણી માટે લગભગ ૧૦૦ દિવસ બાકી છે.

કેન્દ્રીય પ્રધાને કેટલાક પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે જમીની સ્થિતિ જાણવા માટે વન-ટુ-વન બેઠકો પણ કરી હતી અને લોકસભાની ચૂંટણીમાં વિજય સુનિશ્ચિત કરવા માટે તેમની સાથે વ્યૂહરચના અંગે ચર્ચા કરી હતી. તેમણે ભાજપના કાર્યકરોને લોકસભાની ચૂંટણીમાં પાર્ટીના વોટ શેરને ૧૦ ટકા વધારવા માટે પ્રયત્ન કરવા વિનંતી કરી હોવાનું નેતાએ જણાવ્યું હતું.

અગાઉ એમપીના મુખ્ય પ્રધાન મોહન યાદવ, કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાજ્ય ભાજપના વડા વીડી શર્માએ શાહનું અહીં આગમન પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બેઠક બાદ શાહ ખજુરાહો જવા રવાના થયા હતા. જ્યાં તેઓ ભાજપના બૂથ કાર્યકરોને સંબોધિત કરશે. ભાજપે મધ્યપ્રદેશની તમામ ૨૯ લોકસભા બેઠક જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. ૨૦૧૯માં ભાજપે રાજ્યમાં ૨૮ બેઠક જીતી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?