આમચી મુંબઈ
ડોકયાર્ડ રોડમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ
![](https://bombaysamachar.com/wp-content/uploads/2024/02/35મી-વખત-અશ્વિને-રચ્યો-ઈતિહાસ-10-780x470.jpg)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ડોકયાર્ડ રોડ સ્ટેશન નજીક રવિવારે સવારના સમયે પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડતા રેલવે સ્ટેશન બહારના વિસ્તારમાં રસ્તા પર પાણી વેડફાઈ ગયું હતું.
![](https://bombaysamachar.com/wp-content/uploads/2024/02/image-315-1024x576.png)
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ ડોકયાર્ડ રોડ સ્ટેશન નજીક વહેલી સવારના ૩૦૦ મિલીમીટર વ્યાસની પાણીની પાઈપલાઈનમાં લીકેજ હોવાનું જણાઈ આવ્યું હતું અને તેમાથી પાણીનું મોટા પ્રમાણમાં ગળતર થઈ રહ્યું હતું.
![](https://bombaysamachar.com/wp-content/uploads/2024/02/image-316-1024x576.png)
પાણીપુરવઠા ખાતાના અધિકારી-કર્મચારીઓ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેનું તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધર્યું હતુંં. પાઈપલાઈનમાં લીકેજ હોવા છતાં સદનસીબે કોઈ પણ વિસ્તારમાં પાણીપુરવઠાના ફટકો પડ્યો નહોતો.