આમચી મુંબઈ

હવે ભૂખ હડતાળ એ જ કલ્યાણ? મુંબઈ સેન્ટ્રલનું નામ બદલી નાના શંકર શેઠ ટર્મિનસ ક્યારે?

મુંબઈ: મુંબઈ શહેર આખી દુનિયામાં તેની લાઇફલાઇન એટલે કે જીવનરેખા ગણાતી મુંબઈ લોકલ ટ્રેન સેવા માટે જાણીતું છે અને તેનો પાયો નાંખનારા તેમ જ મુંબઈ લોકલના ઘડતરમાં સિંહફાળો આપનારા નાના શંકર શેઠનું નામ તેમાં સૌપ્રથમ આવે. જોકે, નાના શંકર શેટે મુંબઈને તેની લાઇફલાઇન આપી હોવા છતાં તેમના નામે એકપણ સ્ટેશનનું નામ નથી. ત્રણ વર્ષ પહેલા રેલવે પ્રશાસને મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનનું નામ બદલીને નાના શંકર શેઠ મુંબઈ સેન્ટ્રલ ટર્મિનસ કરવાની મંજૂરી આપી દીધી હતી, પણ હજી સુધી કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી ન મળવાના કારણે રેલવે સ્ટેશનનું નામ બદલી શકાયું નથી. જેના કારણે અસંતોષ અનુભવતા નાના શંકર શેઠના અનુયાયી-ચાહકો અને તેમને માનનારા પાસે હવે ઉપોષણ એટલે કે ભૂખ હડતાળ સિવાય કોઇ બીજો વિકલ્પ બચ્યો નથી. જગન્નાથ નાના શંકર શેઠ પ્રતિષ્ઠાનન દ્વારા ઉપોષણની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. મુંબઈમાં આખા મહારાષ્ટ્ર અને ખાસ કરીને કોંકણ વિસ્તારમાંથી નાના શંકર શેઠને માનનારાઓ મુંબઈ આવી રહ્યા છે અને આઝાદ મેદાનમાં ભૂખ હડતાળની તૈયારી કરી રહ્યા છે. પ્રતિષ્ઠાનના સલાહકાર પ્રકાશ ચિખલીકરે ભૂખ હડતાળ વિશે માહિતી આપતા કહ્યું હતું કે સિંધુદુર્ગ, રત્નાગિરી, રાયગઢ જેવા વિવિધ સ્થળોએથી નાના પ્રેમીઓ મુંબઈ આવી રહ્યા છે. ૧૬ એપ્રિલથી આ ભૂખ હડતાળ શરૂ થશે તેવી માહિતી આપતા પ્રકાશ ચિખલીકરે જણાવ્યું હતું કે સિંધુદુર્ગ જિલ્લાના દૈવજ્ઞ સમાજના અધ્યક્ષ ડૉક્ટર વિવેક રાયકર પણ આ ભૂખ હડતાળમાં તેમના સમાજ સાથે સહભાગી થશે.

૧૧મી ફેબ્રુઆરીએ નાના શંકર શેઠની ૨૨૧મી જયંતિ ઉજવવામાં આવી ત્યારે પ્રતિષ્ઠાનના સેક્રેટરી એડ્વોકેટ મનમોહન ચોણકરે મુંબઈ સેન્ટ્રલને નાના શંકર શેઠ મુંબઈ સેન્ટ્રલ ટર્મિનસ નામ આપવામાં ન આવે તો ભૂખ હડતાળ પર બેસવામાં આવશે, એવી જાહેરાત કરી હતી. હવે આ ભૂખ હડતાળની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે અને તેમાં સહભાગી થનારા નાના પ્રેમીઓનો મુંબઈમાં ધસારો શરૂ થઇ ગયો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રાઈફલ ચલાવવામાં પાવરધો છે ચીનનો આ ‘Dog’, શ્વાસ લીધા વિના જ… અભિનેત્રીઓ પણ ચેઇન સ્મોકર છે SRHની ઓનર કાવ્યા મારનનું કાર કલેક્શન જોશો તો… બોલ્ડ-સેક્સી ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ ચૂકી છે આ અભિનેત્રીઓ