આમચી મુંબઈ

રાહુલ નાર્વેકરને હાઇ કોર્ટની નોટિસ

શરદ પવાર જૂથના વિધાનસભ્યો ગેરલાયક ઠરશે?

મુંબઈ: મહારાષ્ટ્રના વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે શરદ પવાર જૂથના ૧૦ વિધાનસભ્યોનું સભ્યપદ રદ ન કરવાના આપેલા નિર્ણયને પડકારતી અરજી હાઇ કોર્ટમાં કરાઇ હતી. જેને પગલે હાઇ કોર્ટે રાહુલ નાર્વેકર અને શરદ પવાર જૂથના ૧૦ વિધાનસભ્યોને નોટીસ પાઠવી છે.
નાર્વેકરે શરદ પવાર જૂથના ૧૦ વિધાનસભ્યોને વિધાનસભામાંથી બરખાસ્ત ન કરવાનો નિર્ણય લીધો હતો, તેને પડકારતી બે અરજી અજિત પવાર જૂથની એનસીપીના અનિલ પાટીલે હાઇ કોર્ટમાં કરી હતી. આ અરજીઓને પગલે હાઇ કોર્ટે નાર્વેકર અને શરદ પવાર જૂથને નોટીસ ફટકારી હતી. નોટીસમાં હાઇ કોર્ટે તમામ પ્રતિવાદીઓને પોતાનું સોગંદનામુ સુપરત કરવાનું જણાવ્યું હતું. આ મામલે હાઇ કોર્ટ ૧૪ માર્ચે સુનાવણી હાથ ધરશે. ઉલ્લેખનીય છે કે નાર્વેકરના શરદ પવાર જૂથના વિધાનસભ્યોને ગેરલાયક ન ઠેરવવાનો નિર્ણય રદ કરવાની અરજી અનિલ પાટીલે કરી છે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?