આમચી મુંબઈ

આજથી અટલ સેતૂ પર એસી શિવનેરી દોડશે

રૂટમાં પુણે-મંત્રાલય, દાદર-સ્વારગેટ

મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એસટી) દ્વારા મુંબઈ-પુણેના લોકોને રાહત આપવા દેશનો સૌથી લાંબો શિવડી-ન્હાવાશેવા અટલ સેતુથી પુણે-મંત્રાલય, સ્વારગેટ-દાદર શિવનેરી રૂટ મંગળવાર શરૂ થશે. 20 ફેબ્રુઆરીથી પ્રાયોગિક ધોરણે પૂણે સ્ટેશન-મંત્રાલય (સવારે 6.30) અને સ્વારગેટ-દાદર (સવારે 7.00 વાગ્યે) એમ બે રૂટ પર શિવનેરી બસો શરૂ કરવામાં આવી રહી છે. આ બસો પુણેથી ઉપડશે અને પનવેલ ન્હાવાશેવા, શિવડી થઈને સીધી જ મંત્રાલય/દાદર પહોંચશે. ફરીથી સવારે 11 વાગ્યે અને બપોરે એક વાગ્યે તે જ રૂટ દ્વારા અનુક્રમે મંત્રાલય અને દાદરથી ઉપડશે. કોર્પોરેશને જણાવ્યું હતું કે આનાથી ભીડના સમયમાં મુસાફરીનો લગભગ એક કલાકનો સમય બચશે. ટિકિટના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button