નેશનલ

સુરેન્દ્રનગરમાં ગૅસ ગળતરથી ત્રણનાં મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ખોદકામ દરમિયાન દુ:ખદ ઘટના બની છે. પૂરેલા ખાડાને ફરી ખોદી શ્રમિકો અંદર ઊતર્યા ત્યારે ગેસ ગળતરના કારણે ત્રણના મોત થયા છે જ્યારે કેટલાંક મજૂરો ફસાયા હોવાની વિગતો સામે આવી રહી છે. ખાડાની અંદર મજૂરો ઉતર્યાં હતા એ સમયે અંદર ગેસ થતાં મજૂરો ગૂંગળામણમાં ફસાયા છે. કોલસાની ખાણમાં ગેસ ગળતરની ઘટના બની છે.
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના મુળીના દેવપર ગામની ઘટના સામે આવી છે. ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણ ખોદવા માટે જિલેટીન નામનો પદાર્થ ફોડવામાં આવ્યો હતો, ત્યારે આ ગોઝારી ઘટના બની હતી. આ દરમિયાન ખાડામાં હજુ અનેક ફસાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમજ હાલમાં ગેસ ગળતરથી ૩નાં મોત, ૩ની હાલત ગંભીર હોવાની વિગતો સામે આવી છે.

આ ઘટનામાં જિલેટીન નામનો પદાર્થ ફોડી તાત્કાલિક મજૂરોને કાર્બોસેલ કાઢવા માટે ગેરકાયદેસર ખાણમાં ઉતારવામાં આવ્યા હતા. આ ઘટનામાં રાજસ્થાનના કુલ ત્રણ મજૂરોનાં મોત નિપજ્યાં હતાં અને હજુ પણ ત્રણ મજૂરોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ અંદર કેટલા ફસાયા એને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે પોલીસ, મામલતદાર, ડૉક્ટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. તેમજ ફાયર અને પોલીસની ટીમ દ્વારા અંદર ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

મૃતક તમામ ત્રણેય મજૂરોના મૃતદેહો પીએમ માટે મુળી સરકારી હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બીજી બાજુ પોલીસ દ્વારા તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જ્યારે ગેરકાયદેસર ખાણ કોની ચાલતી હતી તે દિશામાં પણ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત