આમચી મુંબઈ

રાજ્યસભાની ચૂંટણી બિનહરીફ જ થશે: બાવનકુળે

મુંબઈ: મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ રાજ્યસભાની યોજાનારી ચૂંટણી બાબતે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. રાજ્યસભાની ચૂંટણીમાં કોઇપણ પક્ષ વચ્ચે ચૂંટણીનો જંગ નહીં જામે એવી માહિતી બાવનકુળેએ આપતા કહ્યું હતું કે રાજ્યસભાની ચૂંટણી ૧૦૦ ટકા બિનહરીફ જ થશે. કારણ કે બધા પાસે પોત પોતાનો ક્વૉટા
છે. બધા પાસે વિજય મેળવવા પૂરતો ક્વૉટા હોવાના કારણે ખોટો હાઉ ઊભો કરીને મહારાષ્ટ્રને ખોટી દિશામાં લઇ જવાની જરૂર નથી. ચોથો ઉમેદવાર ભાજપ નહીં ઉતારે તેની ખાતરી આપતા બાવનકુળેએ કહ્યું હતું કે અમે ચોથો ઉમેદવાર ઊભો નહીં કરીએ. કારણ કે બધા જ પાસે ક્વૉટા છે. તેથી આ ચૂંટણી બિન વિરોધ જ થશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત