વસંત પંચમી પર પીળા વસ્ત્રો કેમ પહેરવામાં આવેછે? જાણીએ તેની ધાર્મિક માન્યતા અને મહત્ત્વ
![](https://bombaysamachar.com/wp-content/uploads/2024/02/dh-10.jpg)
વિશેષ -દિક્ષિતા
વસંત પંચમીના દિવસે પીળા વસ્ત્રો પહેરવામાં આવે છે કારણ કે પીળો રંગ વસંત ઋતુનું પ્રતીક છે અને આ તહેવારનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે, જે જ્ઞાન, બુદ્ધિ અને કલાની દેવી છે. પીળો રંગ સમૃદ્ધિ, ઉત્સાહ અને નવી શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે. તેથી જ લોકો વસંત પંચમી પર પીળા વસ્ત્રો પહેરે છે. આ રીતે આ પીળા કપડાં ઉત્સવના વાતાવરણને વધુ રોમાંચક બનાવે છે. આ ઉપરાંત પીળો રંગ નવી શરૂઆત અને સમૃદ્ધિનો પણ સંકેત છે, જે આ તહેવારના
અવસરે લોકોના જીવનમાં આવતી ઈચ્છાઓને
દર્શાવે છે.
કેલેન્ડર મુજબ હિન્દુ ધર્મમાં દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે વસંત પંચમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાનું અનેરું મહત્વ છે. આ વર્ષે વસંત પંચમી ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ ઉજવવામાં આવશે. ૧૪મી ફેબ્રુઆરીના રોજ સવારે ૧૦:૩૦ થી બપોરે ૧:૩૦ સુધી મા સરસ્વતીની પૂજા કરવાનો શુભ સમય છે.
એક ધાર્મિક માન્યતા છે કે વસંત પંચમીના દિવસે માતા શારદાની પૂજા પીળા રંગના વસ્ત્રો પહેરીને કરવામાં આવે છે. તેમજ તેમને પીળા ફૂલ અર્પણ કરવામાં આવે છે. આ દિવસે પૂજામાં પીળી વસ્તુઓનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી માતા સરસ્વતી પ્રસન્ન થાય છે અને બુદ્ધિ, વિવેક અને જ્ઞાનના આશીર્વાદ
આપે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર પીળો રંગ ઉર્જા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. વસંત પંચમીના દિવસથી ઠંડી ઓછી થાય છે અને વસંતઋતુનું આગમન થાય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે પીળા વસ્ત્રો પહેરવાથી કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત બને છે.
સરસ્વતી પૂજામાં શું ચઢાવવું
એવું માનવામાં આવે છે કે માતા સરસ્વતીને પીળા ચોખા ખૂબ જ પસંદ હોય છે, તેથી આ દિવસે મીઠા પીળા ચોખા તૈયાર કરીને માતાને અર્પણ કરો અને પીળા વસ્ત્રો પહેરીને દેવી સરસ્વતીની પૂજા કરો. માતાની પૂજા કર્યા પછી દેવી સરસ્વતીને પીળા ચોખા અર્પણ કરો. આ પછી લોકોમાં પ્રસાદ
વહેંચો.
સરસ્વતી પૂજામાં પીળા રંગનું મહત્વ
જ્યોતિષશાસ્ત્રમાં પીળો રંગ સુખ, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. વસંત પંચમીના દિવસે જ્યારે સૂર્ય ઉત્તરાયણમાં હોય છે ત્યારે સૂર્યના કિરણોને કારણે પૃથ્વી પીળી થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે પીળો રંગ લોકોનો આત્મવિવાસ વધારે છે. પીળો રંગ લોકોમાં તણાવ ઓછો કરવામાં પણ મદદ કરે છે. એવું પણ કહેવાય છે કે જો તમે પીળા વસ્ત્રો પહેરીને દેવી સરસ્વતીની પૂજા કરો છો તો તમને શુભ ફળ મળે છે. તેથી જ લોકો વસંત પંચમીના દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરે છે અને માતા સરસ્વતીને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે.
પીળા કપડાં પહેરવા વિશે વિજ્ઞાનની હકીકતો શું છે?
વિજ્ઞાન અનુસાર પીળો વાસ્તવમાં મહત્વનો રંગ છે. તે આપણા મગજને મજબૂત બનાવે છે અને આપણને ખુશ રહેવામાં મદદ કરે છે. જ્યારે આપણે પીળો રંગ જોઈએ છીએ, ત્યારે આપણું શરીર સેરોટોનિન નામનું એક ખાસ હોર્મોન છોડે છે, જે આપણને ઓછા તણાવ અનુભવવામાં મદદ કરે છે. પીળો રંગ આપણને વધુ ઉત્સાહિત કરે છે અને આપણા મગજને વધુ સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. પીળા ફળો અને શાકભાજી પણ આપણને ઘણી બીમારીઓથી બચાવે છે.