આપણું ગુજરાત

નરેન્દ્ર મોદીના હસ્તે યોજાનારા વાળીનાથ મહાદેવ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં લાખો લોકો ઉમટશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ ગામે બનેલા ભવ્ય વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપવાના હોવાની ચર્ચા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ આ કાર્યક્રમમાં તેમની સાથે હાજર રહી શકે છે. ૪૫૦૦૦ સ્કવેર ફૂટ જેટલા વિશાળ વિસ્તારમાં આ ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે.

ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા વીસનગર તાલુકાના તરભ ગામમાં તૈયાર થયું છે આ ભવ્ય મંદિર. અહીં ૯૦૦ વર્ષ પૂર્વે વિરમગીરીજી મહારાજે સ્થાપેલી રબારી સમાજના ગુરુગાદી શ્રી વાળીનાથજી મંદિર બનાવવામાં આવ્યું છે. આ શિવધામનું વર્ષ ૨૦૧૧માં બળદેવગીરીજી મહારાજના હસ્તે ભૂમપિૂજન કરવામાં આવ્યું હતું. પ્રથમ મહંત વિરમગીરી મહારાજે આ જગ્યાની પાવનભૂમિમાં રબારી સમાજોની ગુરુગાદીની સ્થાપના કરી હતી અને રબારી સમાજના લોકો ગુરુગાદી અને તેના આચાર્યને ભગવાનની જેમ પૂજે છે.

આગામી તા.૧૬મીથી તા.૨૨મી ફેબ્રુઆરી દરમિયાન વાળીનાથ મહાદેવ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, ઉત્તર પ્રદેશના રાજ્ય પાસ આનંદીબેને પટેલ સહિત ચારેય પીઠના શંકરાચાર્ય ઉપસ્થિત રહેશે. તા.૧૬મીથી તા.૨૨મી ફેબ્રુઆરી દરમિયાન વાળીનાથ મહાદેવ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. લાંબા સમયથી આ મંદિર ખાતે અન્નક્ષેત્ર પણ ચાલી રહ્યું છે. આજ પરંપરાના નિર્વહન માટે માટે બાપુનો આદેશ હતો કે, આ ગાયો અને ઘોડીઓનું જ્યાં સુધી પાલન થશે, ત્યાં સુધી આ સંસ્થા ચાલતી રહેશે. એવું કહેવાય છેકે, આજથી ૯૦૦ વર્ષ પહેલાં અહીં સ્વયંભૂ પ્રગટ થયા હતા વાળીનાથ મહાદેવ. આજે એ જ જગ્યા પર રબારી સમાજની ગુરુગાદી શ્રી વાળીનાથજી મંદિર બનીને તૈયાર થઈ ચૂક્યું છે. વાળીનાથ એટલે મહાદેવના અલગ અલગ સ્વરૂપોમાંથી એક. એવી પણ લોકવાયકા છેકે, આ મંદિરમાં મૂર્તિ સ્વરૂપે સાક્ષાત વાળીનાથ ભગવાન બિરાજમાન છે. લગભગ ૯૦૦ વર્ષ પહેલાં આ જમીનમાંથી વાળીનાથ ભગવાનની મૂર્તિ, ગણેશજીની મૂર્તિ, મા ચામુડાંની મૂર્તિ સ્વયંભૂ નીકળી હતી. તે સમયે પૂજ્ય વિરમગીરીદી મહારાજે આ મૂર્તિની સ્થાપના કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીનો મંદિરનો ઈતિહાસ એવો રહ્યો છેકે, જ્યારે જ્યારે પણ પૂજ્ય બાપુ ગાદી પર બિરાજમાન થયા ત્યારે એક ઘોડી અને એક ગાયનું દાન આપવામાં આવ્યું હતું. જેનો વંશવેલો હજુ પણ મંદિરમાં ચાલી રહ્યો છે. હાલ વાળીનાથ ધામમાં કાંકરેજ નસલની ૯૦૦ થી વધારે ઉત્તમ ગાયોનો ઉછેર થાય છે. તેમજ રેમે નસલની પણ ૧૨ જેટલી ઘોડીઓ અહીં રાખવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે, જેણે આ શિવલિંગનાં દર્શન કર્યા તેને બારેબાર જ્યોતિર્લિંગનાં દર્શનનું ફળ મળી ગયું. બહુ ઓછા લોકો બારેય બાર એટલેકે, દ્વાદશ જ્યોતિર્લિંગની યાત્રા પૂરી કરતા હોય છે. બાપુને ભાવ એવો આવ્યો કે, આ જે શિવલિંગ છે આપણું અને આખા ભારતવર્ષમાં જે દ્વાદશ જ્યોતિર્લિંગ (ચારધામ) આ શિવાય પશુપતિનાથ નેપાળ લઇ જઈએ
અને તેનું પૂજન કરાવીએ. જેથી અહીંના દર્શન કરનારને બારેય જ્યોતિર્લિંગના એક સાથે દર્શન અને ફળની પ્રાપ્તિ થાય.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સોમનાથ બાદ આ બીજું સૌથી મોટું મંદિર હશે. પૂજ્ય બાપુનો વિચાર હતો કે, ગુજરાતમાં જ્યોતિર્લિંગ સ્વરૂપે સોમનાથ બિરાજમાન છે અને તેની મર્યાદા જળવાઈ રહે તે પ્રકારે તેના શિખરની જે ઊંચાઈ છે, તેનાથી થોડી નીચી ઊંચાઈ હોવી જોઈએ. જેને ધ્યાનમાં રાખીને અહીં સુંદર શિવધામ બનાવ્યું છે. આ મંદિર લગભગ ૪૫,૦૦૦ ચોરસ ફૂટમાં બનેલું છે. વર્તમાનમાં ઉત્તર ગુજરાત અને
સમગ્ર ગુજરાતમાં જોવા જઈએ તો સોમનાથ પછી આ બીજા નંબરનું મોટું મંદિર છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત