સ્પોર્ટસ

જાડેજા ત્રીજી ટેસ્ટમાં પણ ડાઉટફુલ, શમી આખી સિરીઝની બહાર થવાની પાકી સંભાવના

વિશાખાપટ્ટનમ: ઇંગ્લૅન્ડ સામે શુક્રવારે શરૂ થતી બીજી ટેસ્ટમાં રવીન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ઈજાને કારણે નથી રમવાના એ આઘાત હજી જાણે પૂરતો ન હોય એમ કેટલાક અહેવાલોમાં જણાવાયું છે કે જાડેજા ત્રીજી ટેસ્ટમાં પણ નહીં રમે એવી સંભાવના છે.

મોહમ્મદ શમી પગની ઘૂંટીની ઈજામાંથી મુક્ત થઈ રહ્યો છે, પરંતુ કહેવાય છે કે તે પાંચ ટેસ્ટની આખી સિરીઝમાં નહીં રમે એવી શક્યતા છે.


શમી હાલમાં લંડનમાં છે જ્યાં તે ઘૂંટીની સારવાર કરાવી રહ્યો છે. તેણે સર્જરી કરાવી છે કે નહીં એ બાબતમાં કોઈ રિપોર્ટ નહોતો મળ્યો, પણ ઘૂંટીની સારવારમાં તેને ઇન્જેક્શનો આપવામાં આવી રહ્યા છે.


એક અહેવાલમાં આવું પણ જણાવાયું હતું કે વિરાટ કોહલી ભારતની બહાર છે અને ત્રીજી ટેસ્ટથી ટીમમાં કમબૅક કરશે કે કેમ એ નક્કી ન કહી શકાય. તે અંગત કારણસર પહેલી બંને ટેસ્ટની બહાર છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…