આમચી મુંબઈમહારાષ્ટ્ર

આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન મળ્યા ઉદ્ધવ ઠાકરેને

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: આરબીઆઈ (રિઝર્વ બૅંક ઓફ ઈન્ડિયા)ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન બુધવારે શિવસેના (યુબીટી)ના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને તેમના નિવાસસ્થાને મળવા માટે ગયા હતા.

ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ સોશ્યલ મીડિયા પર આની માહિતી આપતાં કહ્યું હતું કે તેઓ માતોશ્રી ખાતે તેમને આવકારી રહ્યા છે.

અહીં ઉલ્લેખનીય છે કે રઘુરામ રાજન વડા પ્રધાન મોદી સરકારની આર્થિક નીતિઓના કટ્ટર ટીકાકાર છે. તેઓ ઉદ્ધવ ઠાકરે, તેમની પત્ની રશ્મી ઠાકરે, પુત્રો આદિત્ય અને તેજસને મળ્યા હતા.

આદિત્ય ઠાકરેએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે આરબીઆઈના ગવર્નર તરીકે તેમણે દેશની આર્થિક નીતિઓમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું ભારતીય અર્થતંત્રને દિશા આપવાનું કામ આવા લોકો વધુ સારી રીતે કરી શકશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?