તરોતાઝા

હાલ મકરસંક્રાંતિની અવધિ ચાલે છે

આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ

આ સપ્તાહમાં ગ્રહમંડળમાં રાજાદી ગ્રહ
સૂર્ય મકર રાશિમાં
મંગળ ધન રાશિ
બુધ ધન રાશિ
ગુ મેષ રાશિ
શુક્ર ધન રાશિ
શનિ – કુંભ(સ્વગૃહી)રાશિ
રાહુ મીન રાશિ વક્રીભ્રમણ
કેતુ- ક્નયા રાશિ વક્રીભ્રમણ રાશિમાં રહેશે.
હાલ મકરસંક્રાંતિની અવધિ ચાલતી હોવાથી જરૂરિયાતમંદને યથાશક્તિ મદદ કરવાથી છુપા આશીર્વાદ મળી શકે છે તેમજ સૂર્ય ગ્રહની ઉપાસના,શનિ ગ્રહનું અલગ-અલગ દાન ભિક્ષુકોને આપવાથી લાંબા સમયથી અસાધ્ય બીમારીઓમાંથી છુટકારો મળશે.


શિશુઓ તથા સિનિયર સિટીજન વર્ગએ સૂર્યોદય સમયે કૂણો તડકો લેવો. ગરમા-ગરમ ખાધ પદાર્થો ખાવા.
મહિલા વર્ગે તાવ, શરદી સાથે ગળા ને લગતી બીમારીઓથી કાળજી રાખવી આવશ્યક. સવારના સમયે નમક સાથે હૂંફાળા પાણીના કોગળા કરવા.
(1) મેષ (અ,લ,ઇ):- ગુપ્તાંગ ભાગે ખંઝવણ વકરે. સમયસર ઊંઘ ન આવવાની ફરિયાદ બની રહે.નિત્ય ગુદેવનો મંત્ર સાથે રામ નામ જાપ કરવા હિતકારી બની રહેશે.
(2) વૃષભ (બ,વ,ઉ):- સપ્તાહના મધ્યાન્હે પેટમાં ગરબડ રહ્યા કરે. મોં પર સૂઝન આવવાની શક્યતાઓ. કુળદેવી સ્મરણ પૂજન અર્ચન સાથે સ્તોત્ર કરવા. બજા ચીજવસ્તુઓ ખાવાનું ટાળશો.
(3)મિથુન (ક,છ,ઘ):- હથેળીમાં બળતરાઓ સંભવ.સાધારણ તાવ, શરદી,ઉધરસ આવી શકે. નિત્ય તુલસીના પાન 5 પત્તાં ખાવા. વારંવાર ડોક્ટરની દવા બદલવી નહીં. ખાટા-તીખા તેમજ અત્યંત ગરમા-ગરમ ચીજ વસ્તુ ખાવી નહીં.
(4)કર્ક (હ,ડ):- નાનાં બાળકોમાં શીળસ થવાની સંભાવના. વારંવાર પેશાબ જવું પડે. વૃક્ષારોપણના કાર્યક્રમમાં ભાગ લેવો. સૂર્ય-ચંદ્ર ગ્રહના જાપ જાતે કરવા.


(5)સિંહ (મ,ટ):- ઉંમરલાયક વ્યક્તિઓને એટેક આવવાની શક્યતા.લાંબી મુસાફરી કરવામાં તબિયત બગડે. બી.પી.ની સમસ્યાઓ હશે તો વિશેષ સંભાળવું-ચક્કર આવી શકે. વ્યસન હોય તો છોડી દેશો.
(6)ક્નયા (પ,ઠ,ણ):- સાથળના ભાગે સૂઝન આવવાની સંભાવના માટે ખાટા તીખા પદાર્થો ખાવા નહીં. દાક્તરની દવા લેવી.
શિવલિંગના દર્શન કરશો. નિત્ય પૂજા વહેલી સવારે કરશો.
(7)તુલા (ર,ત):- આ સપ્તાહ એકંદરે સાં રહેશે. ફક્ત પશુ પંખીને ચણ નિયમિત નાખશો….
(8)વૃશ્ચિક (ન,ય):- દંત પીડા સાથે માથું દુખવાની ફરિયાદ રહે. માનસિક ચિંતાઓ રહ્યા કરે. ઉગ્ર દેવોની ઉપાસના-આરાધના
અવશ્ય કરવી. મહાકાલી કે કુલદેવીની ઉપાસના ઉત્તમ.
(9)ધન (ભ,ધ,ફ,ઢ):- આકસ્મિક ઇજા થવાના અશુભ એંધાણ.ડાયાબિટીસ સમસ્યાઓ કાબૂમાં આવી શકે.
શુદ્ધ ઘીનો દીપક સાથે ગુદેવનો મંત્ર અવશ્ય કરશો.


(10)મકર (ખ,જ):- આ સપ્તાહના અંતે ગેસ, કબજિયાતની ફરિયાદ જણાય.
ગરીબોને યથાશક્તિ મદદ કરશો. હનુમાન ચાલીસાનો પાઠ કરશો.
(11)કુંભ (ગ,શ,સ):- સપ્તાહના અંતે મનોરોગ થાય તેવો ગ્રહોના એંધાણ વર્તાય. હકારાત્મક વલણ રાખશો. માનસિક ભય ચિંતાઓ ના કરશો. પીપળના ઝાડે નિત્ય દર્શન કરીને પ્રદક્ષિણા કરશો. હનુમાન ચાલીસા પઠન કરવું.
(12)મીન (દ,ચ,ઝ,થ):- પેટમાં બળતરાઓની સંભવના. પગના તળિયામાં સૂઝન આવી શકે. અકારણ કાલ્પનિક ભય- ચિંતાઓ રહ્યા કરે. યોગ પ્રાણાયામ અવશ્ય કરશો. નવગ્રહ જાપ કરશો.


દેવાધિદેવ મહાદેવને જળાભિષેક કરવાથી મનોસ્થિત ડામાડોળ થશે નહીં. જરૂરિયાતમંદ વ્યક્તિને જૂનાં કપડાં સ્વેટર, મફલર, ધાબલા આપવાથી છુપા આશીર્વાદ મળશે.ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…