આમચી મુંબઈમહારાષ્ટ્ર

બોલો, પતિ પર ગુસ્સે ભરાતા પત્નીએ ઘરમાં જ આગ ચાંપી દીધી અને…

છત્રપતિ સંભાજી નગર: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર ખાતે એક ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં એક પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં ગુસ્સામાં આવી જઈને પત્નીએ પોતાના જ ઘરમાં આગ લગાવી હતી. આ મામલે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ડૉક્ટર પતિ અને પત્ની વચ્ચે કોઈ બાબતને લઈ વિવાદ થયો હતો, પરંતુ આ વિવાદ એટલો બધો વધી ગયો હતો કે ઝઘડામાં ગુસ્સે ભરાયેલી પત્નીએ પોતાના જ ઘરમાં આગ ચાપી હતી.

આગની માહિતી મળતા જ પોલીસ ઠાકરે નગરમાં પહોંચી હતી જ્યાં તેમને એક ઘરમાંથી આગ અને ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. ત્યાર બાદ પોલીસે અગ્નિશમન દળને આગની માહિતી આપી હતી. અગ્નિશમન દળે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લાવી હતી અને ત્યારબાદ આગ લાગવાનુ કારણ શોધતા રવિવારે આ ઘરમાં ડૉ. પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હોવાની વાતનો ખુલાસો થયો હતો.

આગની ઘટના વિશે પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ઝઘડા બાદ પત્નીએ પોતાના જ ઘરમાં આગ લગાવીને ત્યાંથી નીકળી ગઈ હતી. રાતે લગાવેલી આગ ધીરે ધીરે વધતાં સવાર સુધી ઘરમાં રાખેલો બધો સમાન બળીને રાખ થઈ ગયો હતો. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…