મુંબઈ સમાચારના હોરમસજી કામાને પદ્મભૂષણ | મુંબઈ સમાચાર

મુંબઈ સમાચારના હોરમસજી કામાને પદ્મભૂષણ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે બૉમ્બે સમાચારના માલિક હોરમસજી કામાને પદ્મભૂષણ પુરસ્કારની જાહેરાત પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ કરી હતી. હોરમસજી એન. કામા મુંબઈ સમાચારના માલિક છે, તેમજ પ્રેસ ટ્રસ્ટ ઑફ ઈન્ડિયા (પીટીઆઈ), ઑડિટ બ્યૂરો ઑફ સરક્યૂલેશન, ઈન્ડિયન ન્યૂઝ પેપર સોસાયટી (આઈએનએસ)ના ભૂતપૂર્વ અધ્યક્ષ હતા. તેઓ પ્રેસ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા (પીસીઆઈ) સહિત અનેક સંસ્થા સાથે જોડાયેલા છે. (એજન્સી)

સંબંધિત લેખો

Back to top button