નેશનલ

‘નેશનલ વોટર્સ ડે’: મોદીનો યુવા મતદાતાઓ સાથે સંવાદ

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે નેશનલ વોટર્સ ડેએ સંખ્યાબંધ યુવાન મતદાતાઓ સાથે સંવાદ કરશે. આ કાર્યક્રમનું આયોજન શાસક ભાજપ પક્ષની યુવા પાંખે કર્યું છે.

ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યાએ પત્રકારોને કહ્યું હતું કે યુવાન મતદાતાઓએ ૨૦૧૪માં નરેન્દ્ર મોદીને વડા પ્રધાન ચૂંટવામાં અને ૨૦૧૯માં ફરી ચૂંટવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. તેઓ મોદીજીને ત્રીજી વાર વડા પ્રધાન બનાવવા અતિશય ઉત્સાહી છે. તેમણે દાવો કર્યો હતો કે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના શાસનમાં યુવાનોને અભૂતપૂર્વ તક મળી છે.

તેમણે કહ્યું હતું કે બેરોજગાર દર અર્થતંત્રની ઝડપી વૃદ્ધિને લીધે
સર્વકાલીન તળિયે છે અને માળખાકીય સુવિધાને ગજબનું પ્રોત્સાહન મળતાં યુવાનોને સીધો કે આડકતરો લાભ મળ્યો છે. સૂર્યાએ કહ્યું હતું કે દેશના ૫૦૦૦ સ્થળોથી યુવાનો ઓનલાઈન વડા પ્રધાન સાથે જોડાશે. આ ઐતિહાસિક વાત છે કે વડા પ્રધાન પહેલીવાર આટલા યુવાનો સાથે સંવાદ કરશે. આને લીધે યુવાનોને ચૂંટણીમાં મતદાન કરવાનું પ્રોત્સાહન મળશે અને દેશમાં લોકશાહીના મૂળ ઊંડા જશે. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…