આમચી મુંબઈમહારાષ્ટ્ર

વિધાનસભ્ય અપાત્રતા કેસઃ મહારાષ્ટ્રના સ્પીકરને નોટિસ મોકલી સુપ્રીમ કોર્ટે માગ્યો જવાબ

લગભગ બે અઠવાડિયા પહેલા વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે શિવસેનાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના કેસમાં ચુકાદો આપ્યો હતો. જેમાં તેમણે બંને જૂથના વિધાનસભ્યોને લાયક ઠેરવ્યા હતા. ઉપરાંત, શિંદે જૂથના વ્હીપ ભરત ગોગાવલે સામેની અરજીઓ ફગાવી દેવામાં આવી હતી. આ પછી, ઠાકરે જૂથે સીધી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. હવે સુપ્રીમ કોર્ટે રાહુલ નાર્વેકરને નોટિસ જારી કરીને જવાબ આપવા માટે બે અઠવાડિયાનો સમય આપ્યો છે.

ઠાકરે જૂથ તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ દલીલ કરી રહ્યા છે. ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચુડ, જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ સમક્ષ આ અરજી સુનાવણી માટે આવી હતી. આ વખતે કપિલ સિબ્બલે કોર્ટ સમક્ષ કરેલી અરજીનો ઉલ્લેખ કર્યા બાદ કોર્ટે સુપ્રીમ કોર્ટમાં જવાને બદલે સીધો હાઈ કોર્ટમાં કેસ ચલાવવો જોઈએ? એવું પૂછ્યું. જોકે, કપિલ સિબ્બલે વિનંતી કરી હતી કે આ કેસ સુપ્રીમ કોર્ટમાં ચલાવવામાં આવે.

“વિધાનસભા અધ્યક્ષે આ મામલે ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને અવગણ્યો છે. તેથી આ અરજીની અહીં સુનાવણી થવી જોઈએ, કપિલ સિબ્બલે કહ્યું. આખરે કોર્ટે રાહુલ નાર્વેકરને નોટિસ જારી કરી છે અને આગામી બે સપ્તાહમાં જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે.

રાહુલ નાર્વેકરે ચુકાદો આપતી વખતે શિંદે જૂથ દ્વારા શિવસેનાના મુખ્ય દંડક તરીકે ભરત ગોગાવલેની નિમણૂકને સમર્થન આપ્યું હતું. તેથી નાર્વેકરે ઉદ્ધવ ઠાકરે દ્વારા નિયુક્ત સુનીલ પ્રભુ દ્વારા જારી કરાયેલા વ્હીપને અમાન્ય કર્યો. ઉપરાંત, તેમણે ઠાકરે જૂથના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો ઇનકાર કર્યો હતો, એમ કહીને કે ભરત ગોગાવલે દ્વારા આપવામાં આવેલ વ્હીપ પણ તકનીકી રીતે અપૂર્ણ હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…