આમચી મુંબઈ

આજે મધ્ય રેલવેમાં બ્લોક

મુંબઈ: મુંબઈના રેલવે માર્ગ પર રવિવારે ૨૧ જાન્યુઆરીએ મધ્ય અને હાર્બર માર્ગ પર વિશેષ બ્લોક હાથ ધરવામાં આવવાનો છે.

મુંબઈ ડિવિઝનમાં રેલવેમાં મધ્ય અને હાર્બર માર્ગ પર બ્લોક લેવામાં આવવાનો છે. આ દરમિયાન માર્ગમાં વિવિધ મેન્ટેનન્સ અને સમારકામ હાથ ધરવામાં આવવાના છે. મુંબઈમાં આજથી કાલાઘોડા ફેસ્ટિવલ જેવા અનેક જુદા જુદા કાર્યક્રમોની શરૂઆત થઈ ગઈ છે. એટલે તમે રેલવેનું આ ટાઈમટેબલ જોઈને જ તમારો પ્લાન બનાવજો. મુંબઈ રેલવેની મુખ્ય મધ્ય લાઇનમાં સવારે ૧૦.૫૦ વાગ્યાથી લઈને બપોરે ૩.૪૬ વાગ્યા સુધી બ્લોક લેવામાં આવવાનો છે. જેથી આ સમય દરમિયાન મધ્ય રેલવેના મુલુંડથી માટુંગા અપ માર્ગમાં ફાસ્ટ લાઇન પર દોડતી ટ્રેનોને અસર થવાની છે. આ સ્ટેશન વચ્ચે બ્લોકને લોધે બધી ફાસ્ટ ટ્રેનોને સ્લો લાઇન પર દોડાવવામાં આવશે જેથી ટ્રેનો ૧૫-૨૦ મિનિટ સુધી મોડી પડે એવી માહિતી રેલવે દ્વારા જાહેર કરવામાં આવી છે.

મધ્ય રેલવેના હાર્બર માર્ગમાં પણ કુર્લા-વાશી અપ અને ડાઉન માર્ગ પર સવારે ૧૧.૧૦ વાગ્યાથી બપોરે ૪.૧૦ વાગ્યા સુધી બ્લોક રાખવામાં આવ્યો છે. તેમ જ મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી સવારે ૧૦.૩૪થી બપોરે ૩.૩૬ વાગ્યા સુધી વાશી, બેલાપુર અને પનવેલ જતી દરેક ટ્રેન સેવાને બંધ રાખવામાં આવશે, અને આ સાથે પનવેલ, બેલાપુર અને વાશીથી સવારે ૧૦.૧૬ વાગ્યાથી બપોરે ૩.૪૭ વાગ્યા સુધીની સીએસએમટી જતી બધી ટ્રેન સેવાને પણ રદ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button