ટોપ ન્યૂઝનેશનલ

રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ માટે મોદી સરકારે કરી મોટી જાહેરાત…..

નવી દિલ્હી: અયોધ્યામાં ઘણા જોર શોરથી રામમંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવ પર ઘણી રાજ્ય સરકારોએ અગાઉ જ રજા જાહેર કરી હતી. પરંતુ આજે કેન્દ્ર સરકારે પણ આ મુદ્દે એક મોટી જાહેરાત કરી હતી. જેમાં કેન્દ્ર સરકારે તમામ સરકારી ઓફિસોમાં 22 જાન્યુઆરીએ અડધા દિવસની રજા જાહેર કરી છે. સરકારના આ નિર્ણયથી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

કેન્દ્રીય રાજ્ય પ્રધાન જિતેન્દ્ર સિંહે જાહેરાત કરી હતી કે 22 જાન્યુઆરીએ રામ લલ્લાની પુણ્યતિથિએ સરકારી કચેરીઓ અડધા દિવસ માટે બંધ રહેશે. તેમણે કહ્યું હતું કે આ નિર્ણય લોક લાગણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા અયોધ્યામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા હતા. આજે રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થશે તેના માનમાં સમગ્ર અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે.

આ ઉપરાંત રામ મંદિરના ઉદ્ઘાટનના દિવસે એટલે કે 22 જાન્યુઆરીના રોજ દેશના પાંચ રાજ્યોમાં સત્તાવાર રજા જાહેર કરવામાં આવી છે. જેમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા અને ગોવામાં રજા જાહેર કરવામાં આવી છે. તેમજ ઘણા રાજ્યોની સરકારે પણ રાજ્યમાં ડ્રાય ડેની જાહેરાત કરી છે. રામલલાના અભિષેકના દિવસે દરેક વાઈન શોપ બંધ રહેશે અને દારૂ પીવા પર પ્રતિબંધ રહેશે. 22 જાન્યુઆરીએ ઘણા રાજ્યોમાં દારૂ અને વિદેશી દારૂની છૂટક દુકાનો, રેસ્ટોરાં, બાર, હોટેલ બાર અને ક્લબ વગેરે બંધ રાખવામાં આવશે.

આ તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનોએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે રાજ્યમાં ડ્રાય ડે રહેશે. ઉપરાંત લોકો તેમના ઘરો અને નજીકના મંદિરોમાં દીવા પ્રગટાવીને દીપોત્સવની ઉજવણી કરી શકે છે અને મહોત્સવના સમયે પોત પોતાના ઘરોમાં અને નજીકના મંદિરમાં તે ઉજવણી કરી શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કાકડીને ખાવાની આ છે સાચી રીત… A Simple Guide: What NOT to Offer Lord Shani Most Expensive Celebrity Mangalsutras: Unveiling the Price Tags Baby Raha with Mommy Alia at Kareena Kapoor’s House: Cuteness Overloading