ટોપ ન્યૂઝનેશનલ

Ayodhyaમાં અનુષ્ઠાનનો બીજો દિવસ, જાણો 22 તારીખ સુધી કેવી રીતે થશે વિધિ…

અયોધ્યા: રામ લલ્લાના અભિષેકની વિધિ 16 જાન્યુઆરીના રોજથી શરૂ થઈ ગઈ છે. આજે 17મી જાન્યુઆરીના રોજ એટલેકે બુધવારે રામલલાની મૂર્તિને મંદિરના પ્રાંગણમાં લઈ જવામાં આવશે. ત્યારબાદ મંદિર પરિસરમાં બનેલા યજ્ઞમંડપમાં અનુષ્ઠાનનો પ્રારંભ થશે. મંગલ કલશમાં સરયુ જળ લઈને ભક્તો આજે બપોરે 1:20 વાગ્યાના સમય બાદ જલયાત્રા, તીર્થ પૂજા, બ્રાહ્મણ-બટુક-કુમારી-સુવાસિની પૂજા, વર્ધિની પૂજા, કલશયાત્રા અને ભગવાન શ્રી રામલલાની મૂર્તિની યાત્રા કરશે.

તેમજ 18 જાન્યુઆરીએ ગણેશ અંબિકા પૂજા, વરુણ પૂજા, માતૃકા પૂજા, બ્રાહ્મણ વરણ, વાસ્તુ પૂજા વગેરે સાથે ઔપચારિક વિધિઓ શરૂ થશે જ્યારે 19 જાન્યુઆરીએ અગ્નિ સ્થાનપના, નવગ્રહ સ્થાપના અને હવન થશે. 20 જાન્યુઆરીએ મંદિરના ગર્ભગૃહને સરયૂના પવિત્ર જળથી ધોયા બાદ વાસ્તુ શાંતિ કરવામાં આવશે. 125 કળશના પાણીમાંથી દિવ્ય સ્નાન કરાવ્યા બાદ 21મી જાન્યુઆરીએ શયાધિવાસ કરવામાં આવશે. ત્યારબાદ 22 જાન્યુઆરીએ સવારની પૂજા બાદ બપોરે મૃગશિરા નક્ષત્રમાં રામલલાના અભિષેક કરવામાં આવશે.


મંગળવારે લગભગ ત્રણ કલાક સુધી પ્રાયશ્ચિત પૂજા થઈ હતી. પસંદ કરેલી મૂર્તિને શુદ્ધ કરતી વખતે, તેની આંખો પર પટ્ટી બાંધવામાં આવે છે. આ પટ્ટી 22 જાન્યુઆરીએ ખોલવામાં આવશે. પ્રાયશ્ચિત પૂજા દરમિયાન શિલ્પકાર અરુણ યોગીરાજ પણ હાજર હતા. પ્રાયશ્ચિત પૂજા દ્વારા રામલલા પાસેથી ક્ષમા માંગવામાં આવી હતી કે બાંધકામની પ્રક્રિયા દરમિયાન છીણી અને અન્ય સાધનોને કારણે જો તેમને કોઈ ઈજા થઈ હોય અથવા કોઈ પીડા થઈ હોય તો અમને તમારા બાળક સમજીને માફ કરશો.


ભગવાન શ્રી રામલલાની મૂર્તિ પાંચ વર્ષના બાળકના રૂપમાં છે. આ પ્રતિમા 51 ઈંચ ઉંચી છે, જે કાળા પથ્થરથી બનેલી છે અને ખૂબ જ આકર્ષક રીતે બનાવવામાં આવી છે. ભગવાન રામની મૂર્તિની પસંદગી ચહેરાની કોમળતા, આંખોની સુંદરતા, સ્મિત અને શરીર સહિત અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. ભગવાન શ્રી રામની મૂર્તિની લંબાઈ અને તેની ઊંચાઈ ભારતના જાણીતા અવકાશ વૈજ્ઞાનિકોની સલાહ લઈને તૈયાર કરવામાં આવી છે.
22 જાન્યુઆરીએ રામ લલ્લાના અભિષેક માટે 84 સેકન્ડનો ખૂબ જ થોડોક શુભ સમય નક્કી કરવામાં આવ્યો છે. જે 12:29 મિનિટ 8 સેકન્ડથી 12:30 મિનિટ 32 સેકન્ડ સુધીનો જ રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ